ભારત રત્ન અને પૂર્વ રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણનનો આજે જન્મદિવસ છે. તેઓ એક મહાન તત્વ ચિંતક હતા જેમની વિદ્વત્તાને આખી દુનિયામાં સન્માન મળતું હતું, આવો જાણીએ એમણે ખેલી 10 વાતો.
આજે દેશમાં શિક્ષક દિવસની ઉજવણી
ભારત રત્ન અને પૂર્વ રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણનનો જન્મદિવસ
ભારતના તત્વચિંતક અને વિદ્વાન રાજપુરુષ હતા
ડૉ. રાધાકૃષ્ણન આખા વિશ્વને એક વિદ્યાલય માનતા હતા. એમનું માનવું હતું કે શિક્ષા દ્વારા જ માનવ મસ્તિષ્કનો સદુપયોગ કરી શકાય છે. તેથી વિશ્વને એક માની શિક્ષાનું આયોજન કરવું જોઇએ. એમનું કહેવું હતું કે જ્યાં થી પણ કંઇક શીખવા મળે તેને પોતાના જીવનમાં ઉતારી લેવું જોઇએ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના તત્વચિંતક અને વિદ્વાન રાજપુરુષ હતા. એમણે 20મી સદીના એવા વિદ્વાનોમાંથી એક હતા જેમને, વિવિધ ધર્મ અને તત્વચિંતનનું જ્ઞાન હતું.
આજે અમે આપને રાધાકૃષ્ણનના 10 એવા વિચાર વિશે બતાવવા જઇ રહ્યા છીએ. જે આપને હંમેશા જીવનમાં પ્રેરણા આપતા રહેશે.
સર્વપલ્લી રાધાકૃષ્ણનના 10 વિચાર
1 ભગવાનની પૂજા નથી થતી, પરંતુ એ લોકોની પૂજા થાય છે જે એમના નામ પર બોલવાનો દાવો કરે છે.
2 શિક્ષક એ નથી જે વિદ્યાર્થીના મગજમાં તથ્યોને જબરદસ્તી નાંખે. પરંતુ વાસ્તવિક શિક્ષક તો એ છે કે જે એ આવનારા પડકારો માટે તૈયાર કરે.
3 શિક્ષા દ્વારા જ માનવ મસ્તિષ્કનો સદુપયોગ કરી શકાય છે. તેથી વિશ્વને એક માની શિક્ષાનું આયોજન કરવું જોઇએ.
4 પુસ્તક વાંચવાથી આપણાને વિચાર કરવાની ટેવ અને સાચી ખુશી મળે છે.
5 કોઇપણ આઝાદી ત્યાં સુધી સાચી નથી હોતી, જ્યાં સુધી તેને પામનાર લોકોને વિચારો વ્યક્ત કરવાની આઝાદી ન આપવામાં આવે.
6 પુસ્તકો એ માધ્યમ છે, જેના દ્વારા વિભિન્ન સંસ્કૃતિઓની વચ્ચે પુલનું નિર્માણ કરવામાં આવી શકે છે.
7 શિક્ષાનું પરિણામ એક મુક્ત રચનાત્મક વ્યક્તિ હોવુ જોઇએ, જે ઐતિહાસિક પરિસ્થિઓ અને પ્રાકૃત્તિક આપદાઓ વિરુદ્ધ લડી શકે.
8 જ્ઞાનના માધ્યમથી અમને શક્તિ મળે છે. પ્રેમ દ્વારા અમને પરિપૂર્ણતા મળે છે.
9 આપણે ટેક્નિકલ જ્ઞાન સિવાય આત્માની મહાનતાને પ્રાપ્ત કરવી પણ જરૂરી છે.
10 શાંતિ રાજનૈતિક અથવા આર્થિક બદલાવથી નથી આવી શકતી પરંતુ માનવીય સ્વભાવમાં બદલાવથી આવી શકે છે.