ભારતના પ્રથમ ખાનગી રોકેટ લોન્ચપેડ અને મિશન કંટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં અહીંથી અગ્નિબાણ નામનું પ્રાઈવેટ રોકેટ લોન્ચ કરવામાં આવશે.
દેશમાં હવે પ્રાઇવેટ રોકેટ લોન્ચ પેડ તૈયાર થયું
અહીંથી અગ્નિબાણ નામનું પ્રાઈવેટ રોકેટ લોન્ચ થશે
ઘણા દિગ્ગજ ઉદ્યોગપતિઓએ કર્યું છે અહી રોકાણ
હવે માત્ર શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરના સત્તાવાર રોકેટ લોન્ચ પેડ પરથી રોકેટ છોડવામાં આવશે નહીં. તેના બદલે, તેઓ ખાનગી લોન્ચ પેડ્સથી પણ લોન્ચ કરવામાં આવશે. ભારતના પ્રથમ ખાનગી રોકેટ લોન્ચપેડ અને મિશન કંટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં અહીંથી અગ્નિબાણ નામનું પ્રાઈવેટ રોકેટ લોન્ચ કરવામાં આવશે.
ઘણા ઉદ્યોગપતિઓએ કર્યું રોકાણ
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના વડા ડૉ. સોમનાથે શ્રીહરિકોટા ટાપુ પર દેશના પ્રથમ ખાનગી લોન્ચપેડ અને મિશન કંટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. આ લોન્ચપેડ અને કંટ્રોલ સેન્ટર ખાનગી સ્પેસ કંપની અગ્નિકુલ કોસ્મોસ દ્વારા બનાવવામાં આવ્યું છે. ઈસરોના વૈજ્ઞાનિકોએ આમાં અગ્નિકુલની ટીમની મદદ કરી છે. અગ્નિબાણ રોકેટ અગ્નિકુલ કોસ્મોસ કંપનીનું રોકેટ છે. અગ્નિબાણની પ્રથમ ઉડાન આ લોન્ચ પેડ પરથી થશે.
ISRO chairman Dr. Somanath just inaugurated Agnikul Cosmos' launchpad and mission control at Sriharikota today! This is India's first private launchpad. https://t.co/HnnuXg1ons
અગ્નિકુલ એક સ્ટાર્ટઅપ
અગ્નિકુલ એક સ્ટાર્ટઅપ છે જે કેટલાક યુવાનોએ સાથે મળીને બનાવ્યું છે. ઘણા દિગ્ગજ ઉદ્યોગપતિઓએ તેમાં રોકાણ કર્યું છે. જેમાં સૌથી મોટું નામ આનંદ મહિન્દ્રાનું છે. આનંદ મહિન્દ્રાએ અગ્નિબાણ રોકેટ માટે 80.43 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ સિવાય પી વેન્ચર્સ, સ્પેશિયલ ઈન્વેસ્ટ અને અર્થ વેન્ચર્સે પણ રોકાણ કર્યું છે.
2017માં પ્રથમ શરૂઆત કરવામાં આવી હતી
અગ્નિકુલ કોસ્મોસની શરૂઆત વર્ષ 2017માં કરવામાં આવી હતી. તેની સ્થાપના ચેન્નાઈમાં થઈ હતી. તેની શરૂઆત શ્રીનાથ રવિચંદ્રન, મોઈન એસપીએમ અને આઈઆઈટી મદ્રાસના પ્રોફેસર એસઆર ચક્રવર્તી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. અગ્નિકુલ હાલમાં એક નાનું પ્રાઈવેટ રોકેટ અગ્નિબાણ બનાવી રહ્યું છે. આ પ્રક્ષેપણ વાહન પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષામાં 100 કિલોગ્રામ વજનના ઉપગ્રહોને સ્થાપિત કરવામાં સક્ષમ છે. તે પ્લગ-એન્ડ-પ્લે એન્જિન કન્ફિગરેશન મેળવે છે.
Humbled & privileged to have had the opportunity to build our 1st launch pad & Mission Control Center within Sriharikota & to have it inaugurated by Chairman, @isro. Agnikul’s launches would be carried out from here. Thanks to @isro & @INSPACeIND for their help & valuable support pic.twitter.com/KSlOYVCgF9
કોરોના સમયે કાર્ય બંધ કર્યું હતું.
અગ્નિકુલ કોસમોસે મધ્યમાં થોડા સમય માટે તેનું ગ્રાઉન્ડ ટેસ્ટિંગ બંધ કરી દીધું હતું કારણ કે કોરોના વાયરસના કારણે લોકો ઓક્સિજનની અછતનો સામનો કરી રહ્યા હતા. રોકેટમાં ઇંધણ તરીકે પ્રવાહી ઓક્સિજનની પણ જરૂર પડે છે.