દેશના પહેલા કેન્દ્રીકૃત એસી રેલ્વે સ્ટેશનનુ નામ સર એમ વિશ્વેશ્વરૈયા ટર્મિનલ છે. જે બેંગ્લોરમાં બનાવવામાં આવ્યુ છે અને તે લગભગ તૈયાર થઇ ગયુ છે અને ખુબ જલ્દી શરૂ કરી દેવામાં આવશે.
દેશનુ પહેલુ એસી રેલવે સ્ટેશન
કોલકાતામાં થઇ ગયુ તૈયાર
એરપોર્ટ જેવુ લાગી રહ્યુ છે રેલ્વે સ્ટેશન
Named after one of the foremost Civil Engineers Bharat Ratna Sir M Visvesvaraya, India's first centralised AC Railway terminal in Bengaluru is all set to become operational soon. pic.twitter.com/L2agyUevd1
દેશનુ સૌથી પહેલુ એસી રેલવે સ્ટેશન બૈયાપનહલ્લી એરિયામાં બનાવવામાં આવ્યુ છે. આ સ્ટેશન શરૂ થયા બાદ કેએસઆર બેંગ્લોર અને યશવંતપુર સ્ટેશન પર ભીડ ઓછી થશે.
સર એમ. વિશ્વેશ્વરૈયા ટર્મિનલને તૈયાર કરવામાં 314 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. આ રેલવે સ્ટેશનને 2021માં શરૂ કરવામાં આવવાનુ હતુ પરંતુ કોરોનાને કારણે આ કામ પૂરુ થઇ શક્યુ નથી.
દેશના પહેલા એસી રેલવે સ્ટેશનની શરૂઆતની સાથે બેંગ્લોર સુધઈ વધારે એક્સપ્રેસ ટ્રેન ચલાવવામાં આવશે. તેનો ફાયદો થશે કે કર્ણાટતના વધારે જિલ્લા રેલ લાઇન દ્વારા બેંગ્લોર સાથે જોડવામાં આવશે.
દેશના પહેલા એસી રેલવે સ્ટેશનને ખુબ જ અત્યાધુનિક ટેકનીકથી તૈયાર કરવામાં આવશે. આ સ્ટેશન ખુબ જ સુંદર અને એરપોર્ટ જેવુ લાગી રહ્યુ છે. નવા ભારતની ઝલક દેખાઇ રહી છે.