દેશમાં ટોટલ ફર્ટિલિટી રેટ એટલે કે કુલ પ્રજનન દરમાં ઘટાડો આવ્યો છે.
ગર્ભ નિરોધકનો ઉપયોગ દર 54 ટકા વધીને 67 ટકા થઈ ગયો
2.1 ટોટલ ફર્ટિલીટી રેટને પ્રતિસ્થાપન દર તરીકે જોવામાં આવે છે
બાળકોમાં પૂર્ણ રસીકરણ 62 ટકાથી વધીને 76 ટકા થયું
ગર્ભ નિરોધકનો ઉપયોગ દર 54 ટકા વધીને 67 ટકા થઈ ગયો
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે -5ના બીજા ચરણ અનુસાર એક મહિલા દ્વારા પોતાના જીવનકાળ દરમિયાન બાળકોને જન્મ આપવાની સરેરાશ સંખ્યા 2.2થી ઘટીને 2 થઈ ગઈ છે. જ્યારે ગર્ભ નિરોધકનો ઉપયોગ દર 54 ટકા વધીને 67 ટકા થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે આ આંકડા જારી કર્યા. આનાથી એ સંકેત મળે છે કે દેશની જનસંખ્યા સ્થિર થઈ રહી છે. 2.1 ટોટલ ફર્ટિલીટી રેટને પ્રતિસ્થાપન દર તરીકે જોવામાં આવે છે. જોકે તે વસ્તી વધારા માટે એક મહત્વનું એલિમેન્ટ છે.
2015થી 2016માં થયેલા સર્વેમાં ચૌથા સંસ્કરણમાં દેશમાં કુલ પ્રજનન દર 2.2 હતો. ત્યારે 5માં ચરણમાં આ સર્વે 2019થી 2021ની વચ્ચે થયો છે. આ જનસંખ્યા નિયંત્રણ માટે કરેલા પ્રયાસોની સફળતા દર્શાવે છે.
ગર્ભ નિરોધક વપરાશ દરમાં વધારો
નીતિ આયોગમાં સ્વાસ્થ્ય સમિતિના સભ્ય વી કે પોલે કહ્યું કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે -5માં એ જોવા મળ્યું છે કે સતત વિકાસના લક્ષ્યને મેળવવાની દિશામાં હજું વધારે તેજી આવી રહી છે. આ સર્વેમાં મળતા ડેટાથી સરકારને યુનિવર્સલ હેલ્થ કવરેજને લઈને મદદ મળી છે. ત્યારે રાષ્ટ્રીય સ્તર પર ગર્ભ નિરોધક ગોળીનો વપરાશ દર 57 ટકાથી વધીને 67 ટકા થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે એક અધિકારીએ મીડિયાને નામ ન આપવાની શરતે જણાવ્યું કે, ભારત પહેલો દેશ હતો જેણે રાષ્ટ્રીય સ્તર પર પરિવાર નિયોજન કાર્યક્રમ શરુ કર્યો હતો. અને હવે તેનું ઉત્સાહજનક પરિણામ મળી રહ્યું છે. તેમજ મિશન પરિવાર વિકાસને 2016માં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પરિવાર નિયોજનને લઈને સારુ કામ થયું છે.
બાળકોમાં પૂર્ણ રસીકરણ 62 ટકાથી વધીને 76 ટકા થયું
12-23 મહિનાની વર્ષથી બાળકોમાં પૂર્ણ રસીકરણ 62 ટકાથી વધીને 76 ટકા થયું છે. પ્રસવના પૂર્વ ગર્ભવતી મહિલાઓના હેલ્થ કેર પ્રોવાઈડર તરફથી 4થી વધારે ભલામણ સેવાઓ મળી. સંસ્થાગત જન્મ 79 ટકાથી વધીને 89 ટકા થયો. બાળ પોષણ સંકેતોમાં મામૂલી સુધાર જોવા મળ્યો. ત્યારે અંડર વેટ બાળકોની સંખ્યા 36 ટકાથી ઘટીને 32 ટકા થઈ ગઈ છે. આ ઉપરાંત 6 મહિનાની અંદર સ્તનપાનના દરમાં 55 થી 64 ટકાની વૃદ્ધિ થઈ.