અફઘાનિસ્તાનમાં તાલિબાનની હરકતો પર ભારત બાજ નજર રાખીને બેઠું છે. સાથેજ આંતકી હુમલા બાદ ભારત વિશ્વના તમામ દેશોને સંપર્કમાં રાખીને પરિસ્થિતીનું નિરીક્ષણ કરી રહ્યુું છે.
તાલિબાન પર દરેક હરકત પર ભારતની નજર
વિશ્વના મોટા ભાગના દેશો સાથે ભારત સંપર્કમાં
તાલિબાન પર વધારવામાં આવશે કૂટનીતિક દબાણ
કાબુલ પર તાલિબાને કબ્જો મેળની લીધા બાદ અફઘાનિસ્તાન સંકટને લઈને ભારત ચુપચાપ નથી બેઠું. પર્દા પાછળ તેને લઈને ઘણા કામ ચાલી રહ્યા છે. કાબુલ એરપોર્ટ પર જે હુમલો થયો હતો. તેને લઈને ખાસ રણનીતી બનાવામાં આવી રહી છે. અફઘાનિસ્તાનમાં જે નવી સરકાર બનશે તેને લઈને વિશ્વના દેશો સાથે ભારત સંપર્કમાં છે.
કૂટ નીતિક દબાણ વધારવામાં આવશે
જો ત્યા સરકાર નહી બને તો ભારત તાબિબાનને માન્યતા પણ નહી આપે. સંયુક્ત રાષ્ટ્રમાં પણ અફઘાનિસ્તાન મુદ્દે હજુ એક મોટી બેઠક કરવામાં આવશે. આ બેઠકમાં તાલિબાન પર કૂટનીતિક દબાણ કેવી રીતે વધારવું તેને લઈને ખાસ ચર્ચા કરવામાં આવશે.
આતંકી હુમલા બાદ બધાજ દેશો સતર્ક
સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે વિશ્વના તમામ દેશો આંતકી હુમલા બાદ સતર્ક થઈ ગયા છે. આ હુમલાની જવાબદારી આઈએસ ખુરાસાને લીધી છે. પરંતુ ભારતની ખાનગી એજનસીઓ દ્વારા એવી માહિતી સામે આવી છે, કે અફઘાનિસ્તાનમાં જે પણ આતંકી ગતીવિધીઓ ચાલી રહી છે. તેમાં તાલિબાનની પણ સાંઠગાઠ છે.
1996માં જેવું હતુ અત્યારે પણ તાલીબાન તેવુજ
તાલિબાન ભલે વિશ્વમાં પોતે ઉદારવાદી છે તેવું બતાવા માગે પરંતું તેના લક્ષણો 1996માં જેવા હતા તેવાના તેવાજ જોવા મળી રહ્યા છે. વિશ્વના તમામ દેશો હાલમાં તાલિબાન પર નજર રાખીને બેઠા છે.
પરિસ્થિતીનું નિરીક્ષણ વધારે જરૂરી
ઉલ્લેખનીય છે કે ભારતની અમેરિકા સિવાય, રશિયા, ઈરાન, કતર, તજાકિસ્તાન, જર્મની, અને ઈટલી સહિતના દેશો સાથે તાલિબાન મુદ્દે વાત થઈ છે. 1996માં જ્યારે તાલિબાને અફઘાનિસ્તાનમાં સત્તા મેળવી હતી ત્યારે તે આંતરરાષ્ટ્રીય આંતકવાદમાં ગ્રાઉન્ડ ઝીરો પર આવી ગયું હતું. જેથી આ વખતે વિશ્વનના દેશો ચર્ચા કરી રહ્યા છે. કારણકે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવા કરતા પરિસ્થિતીનું નિરીક્ષણ કરવું વધારે જરૂરી છે.