કાર્યક્રમમાં મોહન ભાગવતે કહ્યું કે 'અંગ્રેજોની એ શિક્ષણ પદ્ધતિથી આપણે 17 ટકા સાક્ષર રહી ગયા અને તેઓ 70 ટકા શિક્ષિત બની ગયા. આ ઈતિહાસનું સત્ય છે. '
અંગ્રેજો પહેલા શિક્ષણ વ્યવસ્થામાં 70 ટકા વસ્તી શિક્ષિત હતી
એ સમયે ઈંગ્લેન્ડમાં માત્ર 17 ટકા લોકો જ શિક્ષિત હતા
અંગ્રેજી શિક્ષા વ્યવસ્થાથી આપણે રહી ગયા અશિક્ષિત - ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ(RSS)ના વડા મોહન ભાગવત 5 માર્ચ રવિવારે હરિયાણાના કરનાલ પહોંચ્યા હતા અને ત્યાં એમને એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે ભારતમાં અંગ્રેજોના શાસન પહેલા આપણા દેશની શિક્ષણ વ્યવસ્થામાં 70 ટકા વસ્તી શિક્ષિત હતી અને દેશમાં કોઈ બેરોજગારી નહોતી.
#WATCH | Before British rule, our country's 70% population was educated& there was no unemployment.Whereas in England only 17% people were educated.They implemented their edu model here&implemented our model in their country& became 70% educated &we became 17% educated: RSS chief pic.twitter.com/JnSZX6KtGK
એ કાર્યક્રમમાં આ વિશે વાત કરતાં એમને આગળ કહ્યું હતું કે, 'તે જ સમયે ઈંગ્લેન્ડમાં માત્ર 17 ટકા લોકો જ શિક્ષિત હતા જે બાદ ભારતમાં આવ્યા પછી, અંગ્રેજોએ આપણી શિક્ષણ વ્યવસ્થા એટલે કે 70 ટકા લોકોને શિક્ષિત રાખવાની પદ્ધતિ જંકયાર્ડમાં મૂકી. આપણી શિક્ષણ પ્રણાલીને એમને ત્યાં લાગુ કરી દીધી અને તેની શિક્ષણ પ્રણાલીને ભારતમાં લઈ આવ્યા. '
Karnal | Nowadays, the situation in our country is such that one is ready to do anything for edu & health because both things have become expensive & rare. Today they are being done as a business. It is necessary that education & health should reach every person: RSS chief (05.3) pic.twitter.com/CZ071dwVgX
અંગ્રેજી શિક્ષા વ્યવસ્થાથી આપણે રહી ગયા અશિક્ષિત - ભાગવત
કાર્યક્રમમાં મોહન ભાગવતે આગળ વાત કરતાં એમ પણ કહ્યું હતું કે, 'અંગ્રેજોની એ શિક્ષણ પદ્ધતિથી આપણે 17 ટકા સાક્ષર રહી ગયા અને તેઓ 70 ટકા શિક્ષિત બની ગયા. આ ઈતિહાસનું સત્ય છે. આપણી જે શિક્ષા વ્યવસ્થા હતી એમાં શિક્ષક શીખવતા હતા, બધાને શીખવતા, કોઈ જ્ઞાતિ-જાતિનો ભેદ નહોતો. માણસ પોતે પોતાનું જીવન જીવી શકે ત્યાં સુધીની શિક્ષા બધાને મળતી હતી. એ સમયે શિક્ષકો ગામમાં જઈને ભણાવતા હતા. ત્યારે શિક્ષકો પોતાનું પેટ ભરવા માટે ન ભણાવતા કે ન તો શીખવવાનું તેનું કામ છે એમ વિચારતા. શિક્ષણ એ તેમનું કર્તવ્ય અને ધર્મ હતો.
આગળ એમને કહ્યું કે 'આજકાલ આપણા દેશમાં એવી સ્થિતિ બની છે કે દરેક વ્યક્તિ શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે કંઈ પણ કરવા તૈયાર છે, કારણ કે આ બંને વસ્તુઓ ખૂબ જ મોંઘી અને દુર્લભ બની ગઈ છે. આજે આ બંને બાબતો ધંધાની જેમ કરવામાં આવી રહી છે. શિક્ષણ અને આરોગ્ય દરેક વ્યક્તિ સુધી પહોંચે તે જરૂરી છે. પહેલા આ વસ્તુઓને બિઝનેસ તરીકે જોવામાં ન આવતી. '