દેશમાં હાલ કોરોના સંકટની વચ્ચે દેશમાં સામાન્ય જનજીવન જ્યાં અસ્ત વ્યસ્ત છે, સ્તબ્ધ છે, ક્ષત વિક્ષત છે ત્યારે પણ દેશમાં રાજનીતિ તેના ચરમ પર છે. દેશના બે મુખ્ય રાષ્ટ્રીય પક્ષો વચ્ચેની ખેંચતાણ દિન પ્રતિદિન નવા નવા રૂપ રંગ દાખવી રહી છે.
જ્યારે આમ આદમી કોરોના સામેના સંકટમાં ઝુઝ્વામાં વ્યસ્ત છે ત્યારે રાજકીય પક્ષો તેમની અલગારી રમતમાં મસ્ત છે. લોકતંત્ર અને બંધારણ એ માત્ર અમુક ડીક્ષનરીઓના શબ્દોથી વિશેષ નથી લાગી રહ્યું. ત્યારે હજીએ આ શબ્દો અમુક નેતાઓના સોશિયલ મીડિયા પ્લેટફોર્મની શોભા જરૂર વધારી રહ્યાં છે.
રાહુલ ગાંધીના ટ્વીટર પર ભાજપ પર આકરા પ્રહારો
આજે રાહુલ ગાંધીએ ટ્વીટર પર ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા, તેમણે કહ્યું હતું કે ,''દેશની જનતા ભાજપના છળ કપટને વશ થાય તેમ નથી, ભારતનું લોકતંત્ર એ દેશની જનતાની ઈચ્છા પર અવલંબે છે, અને તે બંધારણની રીતે જ ચાલશે." આ સાથે જ તેમણે ટ્વીટમાં #SpeakUpForDemocracy નો હેશટેગ વાપર્યો હતો.
भारत का लोकतंत्र संविधान के आधार पर जनता की आवाज़ से चलेगा।
भाजपा के छल-कपट के षड्यंत्र को नकारकर देश की जनता लोकतंत्र और संविधान की रक्षा करेगी।#SpeakUpForDemocracy
SpeakUpForDemocracy એ કોંગ્રેસનું સોશિયલ મીડિયા પરનું અભિયાન છે જેમાં રાહુલ ગાંધીના એકાઉન્ટ પરથી આ ટ્રેન્ડને વાયરલ કરાયું હતું, જેમાં એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો રાજસ્થાનની કોંગ્રેસ સરકારએ ચૂંટાયેલી સરકાર છે અને ભાજપ તેને બળજબરીથી અસ્થિર કરવા માંગે છે અને તે માટે બંધારણ અને લોકતંત્રને બચાવવાની લડત માટે લોકોને કોંગ્રેસના આ ઇનીશીએટીવ સાથે જોડવા માટે તેમાં અપીલ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનમાં રાજનીતિક ઉથલપાથલ ચાલી રહી છે, સરકારમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ અને તેના જૂથના 19 ધારાસભ્યો દ્વારા કરાયેલા બળવા બાદ રાજ્યમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત કોઈ રીતે પોતાની રાજગાદી ટકાવી રાખવામાં સક્ષમ સાબિત થયા છે. તે બાદ તેમણે આ મુદ્દે ભાજપના કથિત દોરીસંચારને ઉઘાડો પાડવા માટે રાજ્યના રાજભવનની સામે ધરણા પણ દીધા હતાં. આમ દેશમાં કોરોના સંકટની વચ્ચે પણ રાજકીય પક્ષો પોતપોતાના રાજનૈતિક ભૂંગળ વગાડી રહ્યાં છે.