કોરોનાની બીજી લહેરની વચ્ચે એક રાહતભરી ખબર છે. અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, લક્ષ્યદીપ અને મેઘાલયમાં છેલ્લા ચોવીસ કલાકમાં એક પણ મોત કોરોનાથી થયું નથી.
કોરોનાની બીજી લહેરની વચ્ચે એક રાહતભરી ખબર
અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, લક્ષ્યદીપ અને મેઘાલયમાં એક પણ મોત નહીં
દિલ્હી માટે રાહત 12 એપ્રિલ બાદ સૌથી ઓછા કેસ આવ્યાં
10 રાજ્યોમાં 71.75 ટકા કેસ
દિલ્હી માટે રાહત 12 એપ્રિલ બાદ સૌથી ઓછા કેસ આવ્યાં
દિલ્હીમાં છેલ્લા ચોવીસ કલાકમાં 13,336 નવા કેસ નોંધાયા છે જે 12 એપ્રિલ પછી સૌથી ઓછા કેસ છે. છેલ્લા ચોવીસ કલાકમાં 273 લોકોના મોત થયા છે. સરકારી આંકડા અનુસાર સંક્રમણ દર 16 એપ્રિલ બાદ સૌથી ઓછો છે.
10 રાજ્યોમાં 71.75 ટકા કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર 10 રાજ્યોમાં સર્વાધિક 71.75 ટકા કેસ આવ્યાં છે જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે 56,578, ત્યાર બાદ કર્ણાટકમાં 47,563, કેરળમાં 41,971 નવા કેસો નોંધાયા છે.
કોરોનાની બીજી લહેરે ચિંતા વધારી છે.
દેશમાં 5મી વખત 4 લાખથી વધારે નવા કેસ આવી રહ્યા છે. આ સતત 5મી વખત છે જ્યારે કેસ 4 લાખથી ઉપર પહોંચ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર 24 કલાકમાં દેશમાં મોતનો રેકોર્ડ તૂટ્યો છે. દેશમાં મોતની સંખ્યા 4133 થઈ છે. આ સમયે 409,300 નવા કેસ સામે આવ્યા છે. તો દેશમાં કુલ સંક્રમિતની સંખ્યા 2,22,95,911 પહોંચી છે તો સાથે કુલ મૃત્યુઆંક 2,42,398 થયો છે.
શું કહે છે સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા
દેશમાં કોરોનાના કુલ 1 લાખતી વધુ લોકો સાજા થઈ રહ્યા છે. સ્વસ્થ થનારા દર્દીઓમાં ઘટાડો થઈ રહ્યો છે પણ મોતની સંખ્યા વધી રહી છે. રિકવરી રેટ 81.90 ટકા રહ્યો છે. આ સાથે એપ્રિલમાં રીકવરી રીટે 93.89 ટકા રહ્યો હતો.
80 ટકા સક્રિય કેસ ફક્ત 12 રાજ્યોમાં
દેશમાં આ સમયે 37.23 લાખથી વધારે સક્રિય કેસ છે જ્યારે તેમાંથી 80.68 ટકા કેસ ફક્ત 12 રાજ્યોમાં છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 6.28 લાખ, કર્ણાટકમાં 5.48 લાખ, કેરળમાં 4.17 લાખ, યૂપીમાં 2.45 લાખ અને રાજસ્થાનમાં 1.99 લાખ સક્રિય કેસ સામે આવ્યા છે. આ પછી આંધ્રપ્રદેશ, ગુજરાત, તમિલનાડુ, છત્તીસગઢ, પ. બંગાળ અને બિહારનો નંબર આવે છે.