કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યું છે કે દેશમાં કોરોનાની સ્થિતિ સ્થિર થઈ રહી છે તથા પોઝિટિવિટી રેટમાં પણ મોટો ઘટાડો થઈ રહ્યો છે.
કોરોનાને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયનું નિવેદન
પોઝિટિવિટી રેટ પર રાહતભર્યાં સમાચાર
બીજી લહેરમાં કોરોનાની પરિસ્થિતિ સુધરી રહી છે
આગામી દિવસમાં હજુ પણ વધારે સુધરશે
શનિવારે સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરીને દેશ સમક્ષ કોરોનાનો ચિતાર રજૂ કર્યો હતો. પ્રેસ કોન્ફરન્સમાં સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ, નીતિ આયોગના મેમ્બર ડો.વીકે પોલ, તથા એમ્સ ડિરેક્ટર રણદીપ ગુલેરિયા હાજર રહ્યાં હતા.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા પાંચ દિવસમાં ચોથી વાર દેશમાં નવા કેસો કરતા કોરોનાથી સાજા થનાર લોકોની સંખ્યા વધી છે.
નીતિ આયોગના મેમ્બર ડો.વીકે પૌલે જણાવ્યું કે દર મહિને લગભગ 1.5 કરોડ કોવેક્સિન ડોઝ બનાવાઈ રહ્યાં છે. દર મહિને 10 કરોડ કોવેક્સિનના ડોઝ બનાવવાનું લક્ષ્ય છે. તેમણે કહ્યું કે દેશમાં ફ્રન્ટલાઈન વર્ક્સમાં 80 ટકા સિંગલ ડોઝ વેક્સિનેશનનું કામ પુરુ થયું છે. ગુજરાતમાં 93 ટકા, રાજસ્થાનમાં 91, મધ્યપ્રદેશમાં 90 ટકા કામ પુરુ થયું છે.
ડો.વીકે પોલે જણાવ્યું કે દેશમાં કોરોનાની કુલ પરિસ્થિતિ સુધરી રહી છે. કુલ પોઝિટિવીટી રેટ કે જે ગત અઠવાડિયે 21.9 ટકા હતો જે હવે 19.8 ટકા થયો છે.
કોરોનાના નવા કેસ કરતા વધી રહ્યો છે દેશમાં રિકવરી રેટ
એક જ દિવસમાં નોંધાયા 3 લાખ 26 હજાર 14 કેસ આવ્યા છે અને સાથે જ રિકવર પેશન્ટની વાત કરીએ તો એક જ દિવસમાં દેશમાં 3 લાખ 52 હજાર 850 લોકો સાજા થયા છે. આ સિવાય એક જ દિવસમાં દેશમાં 3 હજાર 876 લોકોના મૃત્યુ થયા હોવાનું આંકડા કહે છે.
હાલ દેશમાં એક્ટિવ કેસ 36 લાખ 69 હજાર 573 થયા છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 39 હજાર 923 કેસ આવ્યા છે. આ સાથે મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 53 હજાર 249 લોકો સારવાર મેળવી ચૂક્યા છે. કર્ણાટકમાં એક જ દિવસમાં 41 હજાર 779 કેસ નોઘાયા છે. કેરળમાં 34 હજાર 694 કેસ, યુપીમાં 15 હજાર 647 કેસ, દિલ્લીમાં 8 હજાર 506 કેસ,રાજસ્થાનમાં 14 હજાર 289 કેસ અને પશ્ચિમ બંગાળમાં 20 હજાર 846 કેસ તો મધ્યપ્રદેશમાં 8 હજાર 87 કેસ આવ્યા છે.