કાઉન્સિલ ઓફ સાયન્ટીફિક એન્ડ ઈન્ડ્રસ્ટ્રીયલ રિસર્ચ (CSIR) ના ડિરેક્ટર જનરલ શેખર સી માંડેએ કોરોનાને લઈને એક ખતરનાક ચેતવણી આપી છે.
કોરોનાની સાથે બાંધછોડ ન કરવી
માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોનું પાલન કરવું જરુરી
મહામારીની ત્રીજી લહેરના પરિણામો વધારે ઘાતક નીવડશે.
સંસ્થાનો એકબીજા સાથે સંકલન સાથે તે અત્યંત જરુરી છે
માંડેએ કહ્યું કે દેશમાં કોરોના મહામારી હજુ પૂરી થઈ નથીઅને મહામારીની ત્રીજી લહેરના પરિણામો વધારે ઘાતક નીવડશે.
તેમણે કહ્યું કે હાલની પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે તથા ક્લાઈમેટ ચેન્જને કારણે પેદા થયેલી ભયાનક પરિસ્થિતિને અસરોને ખાળવા માટે તેમજ સમગ્ર માનવજાતને નાશ કરવાની શક્તિ રાખનાર જીવાશ્મા (ફોસિલ ફ્યુઅલ) પરની નિર્ભરતામાં ઘટાડો કરવા સંસ્થાનો એકબીજા સાથે સંકલન સાથે તે અત્યંત જરુરી છે.
રાજીવ ગાંધી સેન્ટર ફોર બાયોટેકનોલોજી દ્વારા આયોજિત નેશનલ સાયન્સ ડે લેક્ચર્સ ખાતે ઈન્ડીયાસ રિસ્પોન્સ ટુ કોવિડ-19 પર બોલતા માંડેએ કહ્યું કે ભારત હર્ડ ઈમ્યુનિટીની ક્યાંક નજીક નથી.તેથી લોકોએ માસ્ક પહેર અને સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોનું પાલન કરે તે આવશ્યક છે.
લોકો અને વૈજ્ઞાનિક સમૂદાયને આત્મસંતોષની વિરુદ્ધ ચેતવણી આપતા તેમણે કહ્યું કે દેશે અત્યાર સુધઈ જે પડકારનો સામનો કર્યો છે તેના કરતા પણ વધારે ખતરનાક પરિસ્થિતિ તો કોરોનાની ત્રીજી લહેર પેદા કરશે તેથી સાવધાની અત્યંત જરુરી છે.
માંડએ જણાવ્યું કે આપણે એવું માનીએ છીએ કે કોરોનાની રસી કોરોનાના તમામ સ્વરુપોની સામે અસરકારક છે, વેક્સિન વાઈરસના તમામ સ્વરુપોની સામે રક્ષણ આપે છે.