કોરોના વાયરસને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વિશ્વભરમાં વધીને 5,833 થઈ ગઈ છે જ્યારે તેનો ચેપ 1.55 લાખથી વધુ લોકોમાં ફેલાયો છે. ભારતમાં પણ આ ચેપનો આંક 100ને વટાવી ગયો છે અને બે લોકોનાં મોત નીપજ્યાં છે. અહીં નોંધવાની વાત એ છે કે ભારતની વસ્તી 135 કરોડથી વધુ છે, પરંતુ તે પછી પણ અહીં ચેપ ખૂબ જ ઓછો ફેલાયો છે, જ્યારે ઇટાલી જેવા નાના દેશમાં પણ આ ચેપથી 21000થી વધુ દર્દીઓ અને 1400 ના મોત અને અમેરિકા જેવા વિકસિત દેશમાં 57 મોત સાથે વિનાશ વેરાયો છે.
ભારતીયો જ નહિ વિદેશીઓને પણ બચાવવામાં ભારત અગ્રેસર
ભારતે કોરોના વાયરસ સામે લડવા માટે યોગ્ય સમયે એરપોર્ટ પર તપાસ શરૂ કરી હતી
ભારતે અમેરિકા પહેલા એરપોર્ટ પર સ્ક્રીનિંગ શરૂ કરી હતી
અમેરિકા પહેલા જ ભારતે વિદેશથી પરત ફરનારા મુસાફરોની તપાસ શરૂ કરી દીધી હતી. ભારતમાં, 22 જાન્યુઆરીથી એરપોર્ટ પર કોરોના વાયરસને લગતી તપાસ શરૂ થઈ હતી, પરંતુ USએ 25 જાન્યુઆરી પછી આ પગલું ભર્યું હતું.
રેસ્ક્યુ ઓપરેશનમાં ભારત ટોચ ઉપર
રેસ્ક્યુ ઓપરેશનની બાબતમાં ભારતે સૌથી વધુ ફ્લાઇટ્સ ઉપાડી છે. ચીન, ઈરાન, ઇટાલી વગેરે દેશોમાંથી હજારો ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે. રવિવારે ઈરાનથી 234 અને ઇટાલીથી 218 ભારતીયોને પરત લાવવામાં આવ્યા હતા.
ભારતીયો જ નહિ વિદેશીઓને પણ બચાવવામાં ભારત અગ્રેસર
અમેરિકા જેવો સુપર પાવર દેશ માત્ર પોતાના નાગરિકોને પરત લાવવા સુધી સીમિત રહ્યો જ્યારે ભારતે તેના નાગરિકો ઉપરાંત 10 થી વધુ અન્ય દેશના નાગરિકોને બહાર બચાવ્યા છે જેમાં માલદીવ, મ્યાનમાર, બાંગ્લાદેશ, ચીન, યુએસએ, મેડાગાસ્કર, નેપાળ, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા જેવા દેશો શામેલ છે.
વિકસિત દેશ ઇટાલી કરતા ભારતે સારું કામ કર્યું
હાલમાં ઇટાલી જેવો નાનો અને વિકસિત દેશ કોરોનાવાયરસનું નવું વુહાન બની ગયું છે, પરંતુ 135 કરોડની વસ્તીવાળા ભારતમાં કોરોના વાયરસ નિયંત્રણમાં છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે ભારતે કોરોના વાયરસ સામે લડવા માટે યોગ્ય સમયે એરપોર્ટ પર તપાસ શરૂ કરી હતી, જ્યારે ઇટાલી બેદરકારી દાખવી હતી.
જો કે, તે પણ એક તથ્ય છે કે ઇટાલીમાં મોટાભાગની વસ્તી વૃદ્ધોની છે, જેના પર કોરોના વાયરસની વધુ અસર જોવા મળી રહી છે. તે જ સમયે, ભારતમાં મોટાભાગની વસ્તી યુવાનો છે. જો કે, ઇટાલીથી આવનારાઓને સ્ક્રીનીંગ કરવામાં ભારતે વિલંબ કરી દીધો નહીં તો ભારતમાં ચેપ અત્યાર કરતા પણ ઓછો હોત.
વિશ્વની ઘણી મોટી હસ્તીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ પણ ટેસ્ટ કરાવવો પડ્યો જે નેગેટિવ હતો. તે જ સમયે, ભારતમાં વિશેષ તકેદારીના કારણે આજ સુધી આવું થયું નથી. કોરોના વાયરસના ભયને દબાવવાને બદલે સરકારે લોકોને તેનાથી બચવાની રીત આપી. નેતાઓએ મોટી ઉજવણીઓ અથવા ભીડ વાળા સ્થળોએ જવાનું બંધ કરી દીધું હતું અને લોકોને તે જ કરવા વિનંતી કરી હતી.
PM મોદી ખુદ હોળી સભામાં હાજર રહ્યા ન હતા. આ જ કારણ છે કે ઘણી મોટી હસ્તીઓ વિશ્વમાં કોરોના વાયરસની ચપેટમાં છે. ટ્રમ્પે ખુદ તપાસ કરાવી પડી છે, પરંતુ આ સ્થિતિ હજી ભારતમાં નથી આવી.