બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સુરતના સમાચાર / ભારતની એર સ્ટ્રાઇકથી ગુજરાતભરમાં ખુશીનો માહોલ, કહ્યું 'PoK પણ...'
Last Updated: 09:54 AM, 7 May 2025
ભારતે પહેલગામ હુમલાનો એવો જવાબ આપ્યો છે કે દરેક ભારતીયની છાતી ગર્વથી ફુલી ગઇ છે..દરેક ભારતીયને એ વાતનો ગર્વ છે કે ભારતે પહેલગામના આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે..અને વિશ્વભરમાં એ વાતનો સંદેશ ગયો છે કે ભારત આતંકવાદને સાંખી નહીં લે.
ADVERTISEMENT
અમદાવાદની વાત કરીએતો અમદાવાદમાં ભારતે પાકિસ્તાનમાં ઘુસીને આતંકીઓ પર કરેલા હુમલાને લઇને ખુબજ ખુશીનો માહોલ છે.. લોકો સેનાની કામગીરીને બિરદાવી રહ્યા છે.. અને માની રહ્યા છે કે ભારતે પહેલગામ આતંકી હુમલામાં મોતને ભેટેલા લોકોને સાચી શ્રદ્ધાંજલી આપી છે. અમદાવાદના લોકોએ કહ્યું કે પાકિસ્તાનને હવે એ વાતનો ખ્યાલ આવી ગયો હશે કે ભારતમાં જે સરકાર બેઠી છે તે નમાલી સરકાર નથી
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'કહી દેજો તમારા મોદીને', તો લો કરી બતાવ્યું, આને કહેવાય ઈંટ કા જવાબ પથ્થર સે
સુરતની વાત કરીએ તો સુરતના લોકોએ પણ ભારતીય સેનાએ જે ઓપરેશન પાર પાડ્યું છે તેને આવકાર્યુ છે..સુરતના લોકોએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ જે રીતે આતંકીઓને પાઠ ભણાવ્યો છે તે ખુબજ પ્રશંસનીય છે. સુરતની જનતાએ કહ્યું કે પાકિસ્તાન આતંકવાદીઓને સપોર્ટ કરતો દેશ છે તેને પાઠ ભણાવવો જ જોઇએ અને ભારતે આ જ રીતે આતંકીઓ પર હુમલા ચાલુ રાખવા જોઇએ.
સુરતની જનતાએ એમ પણ કહ્યું કે અમને આશા હતી જ કે વડાપ્રધાન મોદી આવી જ કોઇ કાર્યવાહી કરશે.. સુરતની જનતાએ આ સાથે એવો પણ મત વ્યક્ત કર્યો કે આ ઉત્તમ સમય છે કે ભારતે પીઓકે પર કબ્જો કરી લેવો જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.