યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સહિસલામત સ્વદેશ લાવવા માટે ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. વિદેશ સચિવ હર્ષ શ્રુગલાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ભારતીયોને બચાવવાના પ્લાનની જાણકારી આપી.
One important step we have taken is to pursue all universities in Ukraine to conduct online classes. PM Modi has specifically stated that the MEA should do everything possible for our citizens in Ukraine: Foreign Secretary Harsh V Shringla pic.twitter.com/iLMqhr8r3b
રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું છે. આ કારણે ત્યાંની એર સ્પેસ બંધ કરી દેવામાં આવી છે, પરંતુ કેન્દ્ર સરકારે યૂક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે પ્લાન-બી પર કામ શરૂ કરી દીધું છે. આ માટે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ છે. આ બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ જયશંકર, કેબિનેટ સચિવ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોભાલ પણ હાજર રહ્યા હતા.
Some sanctions have been imposed on Russia by the UK, US, Australia, Japan among others. We have to see what impacts these sanctions will have on our interests. Any sanctions will have an impact on our relationship, I think it would be correct to acknowledge that: Foreign Secy pic.twitter.com/bRJGctW9Fa
યૂક્રેનના પડોશી દેશો સાથે કરાશે વાત
વિદેશ સચિવ હર્ષ વી.શ્રિંગલાએ બેઠક બાદ જણાવ્યું હતું કે યુક્રેનથી ભારતીય નાગરિકોને સુરક્ષિત પરત લાવવાના વૈકલ્પિક માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી. સરકાર આ માટે તમામ પ્રયાસો કરી રહી છે. ભારતીય નાગરિકોને પોલેન્ડ થઈને ભારત લાવવામાં આવશે. વિદેશ મંત્રી એસ જયશંકર પોલેન્ડ, રોમાનિયા, સ્લોવાક રિપબ્લિક અને હંગેરીના વિદેશ મંત્રીઓ સાથે વાત કરશે.
પીએમ મોદી ફોન પર રશિયાના રાષ્ટ્રપતિ સાથે કરશે વાત
તેમણે કહ્યું કે પીએમ મોદીએ બેઠકમાં સ્પષ્ટ કહ્યું છે કે તમામ નાગરિકોની સુરક્ષિત વાપસી એ ટોચની પ્રાથમિકતા છે, તે સુનિશ્ચિત થવું જોઈએ. ભારત સરકાર યુક્રેનની તમામ યુનિવર્સિટીઓને પણ ભારતીય વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન વર્ગો ચલાવવા વિનંતી કરી રહી છે. વિદેશ સચિવ હર્ષ વી શ્રીંગલાએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી કે પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે થોડા સમય બાદ રાત્રે વાતચીત થઈ હતી.
વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સની મહત્વની બાબતો
યુક્રેનના ભારતીય નાગરિકો સરહદ પાર કરીને હંગેરી, પોલેન્ડ, સ્લોવાક રિપબ્લિક અને રોમાનિયા પહોંચી શકે છે.વિદેશ મંત્રાલયે કહ્યું કે આ સંભાવનાને ધ્યાનમાં રાખીને આ ચાર દેશોના ભારતીય દૂતાવાસોની વિશેષ ટીમોને યુક્રેનને અડીને આવેલી સીમા ચોકીઓ પર મોકલવામાં આવી છે. આ ટીમો ત્યાં પહોંચેલા ભારતીયોના દસ્તાવેજોને પૂર્ણ કરવામાં મદદ કરશે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભોપાલમાં કહ્યું હતું કે યુક્રેનની જેમ જ એર સ્પેસ ખોલવામાં આવશે. વિશેષ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવામાં આવશે.
યુક્રેન સ્થિત ભારતીય દૂતાવાસે રાજધાની કિવમાં દૂતાવાસ પાસે આવેલી સ્કૂલમાં 200થી વધુ ભારતીય વિદ્યાર્થીઓના રહેવાની વ્યવસ્થા કરી છે.
કતારના દોહા સ્થિત ભારતીય દૂતાવાસે કહ્યું છે કે, ભારત-કતાર દ્વિપક્ષીય હવાઈ સમજૂતી હેઠળ ભારત સરકાર દ્વારા યુક્રેનથી આવતા ભારતીય યાત્રીઓને અહીંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે.
યુક્રેનમાં ભારતના રાજદૂત પાર્થ સત્પથીએ કહ્યું છે કે અમે અહીંના પ્રશાસનના સંપર્કમાં છીએ. ભારત સરકાર, વિદેશ મંત્રાલય અને ભારતીય દૂતાવાસ અહીં (યુક્રેન)માંથી તેમના નાગરિકોને કેવી રીતે બહાર કાઢી શકાય તે જોવાના પ્રયાસો કરી રહ્યા છે. જ્યાં સુધી દરેક ભારતીય આપણા દેશમાં પાછો નહીં પહોંચે, ત્યાં સુધી ભારતીય દૂતાવાસ અહીં કામ કરતું રહેશે.