યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ સર્જાયા બાદ યુક્રેને દેશની અંદર સિવિલ એરક્રાફ્ટની ઉડાન પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેના કારણે ઘણા ભારતીયો ત્યાં જ ફસાઈ ગયા છે જેમાં ગુજરાતીઓ પણ સામેલ છે.
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ
ગુજરાતીઓ સહિત ભારતીયો અટવાયા
વતન આવવા માટે રઝળપાટ
રશિયાએ યુક્રેનમાં કર્યા હુમલા
રશિયા અને યુક્રેન વચ્ચે હવે યુદ્ધ શરૂ થઈ ગયું છે. રાજધાની કીવ સહીત અલગ અલગ ભાગોમાં બોમ્બ ધડાકાના અવાજો સાથે આ યુદ્ધની શરૂઆત થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે કીવ પર ક્રુઝ અને બેલેસ્ટિક મિસાઈલો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં કિવ સિવાય ખારકિવ શહેરોમાં પણ બ્લાસ્ટ થયા હતાં. આ સાથે સવારના સમયે Donetsk માં પાંચ ઘડાકા થયા હતા.
યુક્રેનમાંથી એર ઈન્ડિયાની ફ્લાઈટ ભારત પરત આવી
યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ સર્જાયા બાદ યુક્રેને તેના દેશની અંદર સિવિલ એરક્રાફ્ટની ઉડાન પર પ્રતિબંધ લગાવી દીધો છે. NOTAM (એર મિશન માટે નોટિસ) જારી કરવામાં આવી છે. જેના કારણે ભારતીયોને લાવવા રવાના થયેલી એર ઈન્ડિયાની બીજી સ્પેશિયલ ફ્લાઈટ AI-1947 ખાલી હાથે પરત ફરી રહી છે. આ જહાજ આજે સવારે યુક્રેનના બોરીસ્પિલ એરપોર્ટ માટે રવાના થયું હતું, પરંતુ હવે પરત ફરી રહ્યું છે.
Air India flight AI1947 is coming back to Delhi due to NOTAM (Notice to Air Missions) at, Kyiv, Ukraine. pic.twitter.com/C6OKj7xMF9
યુક્રેનમાં માર્શલ લો નું એલાન, કિવ એરપોર્ટ ખાલી કરાવવામાં આવ્યું
બગડતી પરિસ્થિતિ વચ્ચે કિવ એરપોર્ટને ખાલી કરાવવામાં આવ્યું છે. ત્યાં હાજર સ્ટાફ અને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે. હાલમાં યુક્રેનમાં વિદેશના ત્રણ વિમાનો છે, જે ઉડવાના હતા. પરંતુ તેઓ ટેકઓફ કરી શક્યા ન હતા.
ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયાં
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતી વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હોવાની માહિતી મળી રહી છે. આ વિદ્યાર્થીઓ હવે વતન પરત આવવા માટે રઝળપાટ કરી રહ્યા છે. પાદરાની અદિતી પંડ્યા અને અન્ય 7 વિદ્યાર્થીઓની ફ્લાઈટ કેન્સલ થઈ હોવાથી આ વિદ્યાર્થીઓ ત્યાં જ ફસાઈ ગયા હોય તેવી સ્થિત છે.
વિદ્યાર્થીઓના વાલીઓમાં ચિંતા
યુદ્ધની સ્થિતિને પગલે બોરીસફીલ એરપોર્ટ પરથી જ વિદ્યાર્થીઓને પરત મોકલ્યા હતા. જેના કારણે હવે યુદ્ધની સ્થિતિમાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનું મોજી ફેલાઈ જવું સ્વાભાવિક છે. આ બાબતે વિદ્યાર્થીઓને પરત લાવવા કેન્દ્ર સરકાર પાસે મદદની આજીજી કરવામાં આવી રહી છે પરંતુ એરસ્પેસ બંધ હોવાથી કેન્દ્ર સરકાર પણ હવે આ મામલે કશું કરી શકે એવી સ્થિતિમાં નથી.
પાદરાના સાંસદને કરી રજૂઆત
વાલીઓએ સમગ્ર સ્થિતિ અંગે પાદરાના વાલીઓએ સાંસદ રંજનબેન ભટ્ટને રજૂઆત કરી છે. અને પ્રદેશ ભાજપ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ સાથે પણ રજૂઆત પહોચાડી છે.