નવી દિલ્હી: Apple ના કો ફાઉન્ડર સ્ટીવ વોજનિએકવા એક ઇન્ટરવ્યૂમાં ભારતીય લોકો માટે ટિપ્પણી કરી હતી કે ભારતમાં ભણતર જોબ કરવી અને મર્સિડીઝ ખરીદી લેવી જ સફળતા છે પરંતુ ક્રિએટિવ ક્યા છે? એમને એવું પણ કહ્યું હતું કે એમને કોઇ આશા નથી કે ભારતમાં કોઇ દિવસ ગૂગલ અને એપલ જેવી કંપનીઓ આવી શકે છે.
વોજનિએકની આ ટિપ્પણી બાજ સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારની પ્રતિક્રિયાઓ આવી છે. ટ્વિટર અને ફેસબુક પર વધારે કોમેન્ટ્સમાં લોકોએ સ્ટીવ વોજનિએકના મંતવ્યથી સહમતિ વ્યક્ત કરી છે. તો કેટલાક લોકોએ એમની ટીકા કરતાં કહ્યું છે કે દુનિયાની ટોપ કંપનીઓના હેડ ભારતીય જ છે.
I love it when such comments are made. Nothing like a sweeping stereotype to get our juices flowing & prove it wrong. Thanks @stevewoz Come back soon. We’ll make you sing a different tune... https://t.co/Zy4QemamQJ
મહિન્દ્રા ગ્રુપના ચેરમેન અને સીઇઓ આનંદ મહિન્દ્રાએ વોજનિએકની આ ટિપ્પણી બાદ લખ્યું છે કે 'આ પ્રકારની વાત સાંભળવી ખૂબ જ મજેદાર છે. આવા પ્રકારની રૂઢીવાદી વિચારોને ખતમ કરીને પોતાને વ્યક્ત કરવામાં મજા આવે છે. ધન્યવાદ સ્ટીવ વોજનિએક જલ્દી પાછા આવો અમે તમારી પાસે એક અલગ ધુન વગાવડાઇશું.'
એક ઇન્ટરવ્યૂમાં વોજનિએકે કહ્યું કે 'તમે કેટલા ટેલેન્ટેડ છો? જો તમે એન્જીનિયર છો અથવા એમબીએ છો તો તમે તમારી ડિગ્રી પર ખુશ થાવ પરંતુ ખુદને પૂછો કે તમે કેટલા ક્રિએટિવ છો. વોજનિએકના પ્રમાણે ભારતમાં ઉદાહરણ તરીકે એક મોટી ટેક કંપની ઇન્ફોસિસ છે અને એ પણ ઇનોવેટિવ નથી.'