વિદેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવામાં સરકાર સફળ રહી છે. જેમાં ઈરાન ઉપરાંત ઈટલીમાંથી ફસાયેલા ભારતીયોને રવિવારે સવારે પરત લવાયા છે. બન્નેના મળીને 400 ભારતીયોને વતન પરત લવાયા છે. જેને પગલે સરકારના કામની વખાણ થઈ રહ્યા છે.
ઈટલીમાંથી 218 લોકોનું ગ્રૃપ પણ ભારત લવાયું હતુ
ઈરાન- ઈટલીમાંથી 400 લોકોને રેસ્ક્યુ કરાઈ ભારત લવાયા
આજ ભારત પહોંચેલા લોકોને આઈસોલેશનમાં રાખવામાં આવશે
ઈટલીમાંથી 218 લોકોનું ગ્રૃપ પણ ભારત લવાયું હતુ
‘મિશન એરલિફ્ટ’ પુરુ થયા પછી એસ. જયશંકરે ટ્વીટ કરીને ઈરાની રાજદૂત ધામૂ ગદ્દામ અને આ મોટા અભિયાનની સફળતા અપાવનારી ટીમનો આભાર માન્યો હતો. તેમજ ઈરાનના અધિકારીઓનો પણ આભાર માન્યો હતો. આ ઈરાનથી આવનારુ ત્રીજું ગ્રુપ હતુ. સાથે સાથે ઈટલીમાંથી 218 લોકોનું ગ્રૃપ પણ ભારત લવાયું હતુ.
સમગ્ર વિશ્વમાં શુક્રવારે સાંજે 5 વાગ્યાથી શનિવારે સાંજે 5 વાગ્યા સુધીમાં કોરોના વાયરસના 11,037 નવા કેસ સામે આવ્યા હતા. જેમાં 417 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે 24 કલાકમાં ઈટલીમાં કોરોના વાયરસના કારણે સૌથી વધારે મોત નિપજ્યાં છે. જ્યાં નવા 175 નવા કેસ જોવા મળ્યા છે. જ્યારે ઈરાનમાં 97, સ્પેનમાં 63 નવા કેસ સામે આવ્યા છે. ઈરાનમાં લગભગ 6 હજાર ભારતીયો ફસાયેલા છે. ઈરાન-ઈરાકમાંથી લવાયેલા ભારતીયોને આઈસોલેશનમાં રાખવામાં આવશે.
આ લોકોમાં 131 સ્ટૂડન્ટ અને 103 તીર્થ યાત્રીઓ હતા
કોરોના વાયરસના કારણે ઈરાન સૌથી વધારે હેરાન થઈ રહ્યું છે. ઈરાનમાં 234 ભારતીયો ફસાયા હતા. ઈરાનમાં કોરોનાની અસરથી બચાવવા માટે તેમને રવિવારે ભારત લવાયા છે. વિદેશ મંત્રી જયશંકરે જણાવ્યું હતું કે આ લોકોમાં 131 સ્ટૂડન્ટ અને 103 તીર્થ યાત્રીઓ હતા.