ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વિટ કરનાર પોપ સ્ટાર રિહાના, એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ અને પૂર્વ પોર્નસ્ટાર મિઆ ખલીફાને જવાબ આપનાર બોલીવુડ હસ્તીઓ બાદ હવે તેડૂંલકરનું પણ નિવેદન સામે આવ્યું છે.
દિગ્ગજ વિદેશી હસ્તીઓના ટ્વિટ બાદ માસ્ટર બ્લાસ્ટર સચિન તેડુલકરે ટ્વિટર દ્વારા તેમને જવાબ આપ્યો
સચિન તેડુંલકરે ટ્વિટ કરીને જણાવ્યું કે ભારતની અખંડિતતા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન થઈ શકે.
બહારની તાકાત ફક્ત મુકપ્રેક્ષક બનીને જોઈ શકે પરંતુ તેમાં ભાગ ન લઈ શકે.
માસ્ટર બ્લાસ્ટર સચિન તેડુલકરે ટ્વિટ કરીને જણાવ્યું કે ભારતની અખંડિતતા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન થઈ શકે. બહારની તાકાત ફક્ત મુકપ્રેક્ષક બનીને જોઈ શકે પરંતુ તેમાં ભાગ ન લઈ શકે.
India’s sovereignty cannot be compromised. External forces can be spectators but not participants.
Indians know India and should decide for India. Let's remain united as a nation.#IndiaTogether#IndiaAgainstPropaganda
ભારતીય ભારતને સારી રીતે જાણે છે અને ભારત અંગે નિર્ણય કરી શકે છે. એક દેશ તરીકે અમે બધા એકીસાથે રહીએ છીએ. આ પહેલા પ્રજ્ઞાન ઓઝાએ રિહાનાને જવાબ આપતા ટ્વિટ કર્યુ હતું કે મારા દેશને અમારા ખેડૂતો પર ગૌરવ છે અને તેઓ કેટલાક અગત્યના છે તેની ખબર છે. મને વિશ્વાસ છે કે આ મામલાનો ટૂંક સમયમાં ઉકેલ આવી જશે. આપણા દેશના આંતરિક મામલામાં કોઈ વિદેશીએ સામેલ થવાની જરુર નથી. મશહૂર પોપ સ્ટાર રિહાના અને એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વિટ કર્યા બાદ ભારતની તમામ દિગ્ગજ હસ્તીઓએ તેમને જવાબ આપ્યો છે. હવે સચિન પણ તેમાં જોડાયા છે.
અક્ષય કુમાર, અજય દેવગન, સુનીલ શેટ્ટી, કરણ જોહર અને કંગનાએ પણ પ્રતિક્રિયા આપી
મામલે બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર, અજય દેવગન, સુનીલ શેટ્ટી, કરણ જોહર અને કંગના રનૌતે પણ વિદેશી હસ્તીઓની ટ્વીટ પર પ્રતિક્રિયા આપી છે.લગભગ છેલ્લા 70 દિવસથી દિલ્હીની સરહદો પર ત્રણ નવા કૃષિ કાયદાઓનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. અહીં પોલીસે સુરક્ષાની દ્રષ્ટિએ કિલ્લેબંધી કરી છે અને તંત્રે અહીં ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દીધી છે.