સ્વિટ્ઝરલેન્ડની બેન્કોમાં ભારતીયોના લગભગ એક ડઝન નિષ્ક્રિય ખાતાઓ માટે કોઇ દાવેદાર સામે આવ્યો નથી. એવામાં આશંકા બની રહી છે કે આ ખાતાઓમાં રહેલા નાણાને સ્વિ્ટઝરલેન્ડ સરકારને સ્થળાતરિત કરવામાં આવી શકે છે.
સ્વિટ્ઝરલેન્ડની બેન્કોમાં ભારતીયોના નિષ્ક્રિય ખાતાઓ માટે કોઇ દાવેદાર નહીં
આ ખાતાઓમાં રહેલા નાણાને સ્વિ્ટઝરલેન્ડ સરકારને સ્થળાતરિત કરાઇ શકે છે
સ્વિટ્ઝરલેન્ડ સરકારે 2015માં નિષ્ક્રિય ખાતાઓની માહિતીને સાર્વજનિક કરવાનું શરૂ કર્યું
નોંધનીય છે કે સ્વિટ્ઝરલેન્ડ સરકારે 2015માં નિષ્ક્રિય ખાતાઓની માહિતીને સાર્વજનિક કરવાનું શરૂ કર્યું હતું. તેના હેઠળ આ ખાતાઓના દાવેદારોએ નાણાને મેળવવા માટે આવશ્યક પ્રમાણ ઉપલબ્ધ કરાવવાના હતા. તેમાંથી દસ ખાતા ભારતીયોના પણ છે. જ્યારે કેટલાક ખાતાઓ ભારત નિવાસી અને બ્રિટિશ રાજના સમયના નાગરિકો સાથે જોડાયેલા છે. સ્વિસ ઓથોરિટીની પાસે ઉપલબ્ધ આંકડાઓ અનુસાર ગત છ વર્ષ દરમિયાન તેમાંથી એક પણ ખાતાઓ પર કોઇપણ ભારતીયના 'વારસદારે' દાવો કર્યો નથી.
આંકડાઓ અનુસાર, તેમાંથી કેટલાક ખાતાઓ માટે દાવો કરવાનો સમય આવતા મહીને સમાપ્ત થઇ જશે. જ્યારે કેટલાક અન્ય ખાતાઓ પર વર્ષ 2020ના અંત સુધી દાવો કરી શકાશે. રસપ્રદ એ છે કે નિષ્ક્રિય ખાતાઓમાંથી પાક. નિવાસીઓથી સંબંધિત કેટલાક ખાતાઓ પર દાવો કરાયો છે.
નોંધનીય છે કે, ડિસેમ્બર 2015માં પહેલીવાર એવા ખાતાઓને સાર્વજનિક કરવામાં આવ્યા. આ લિસ્ટમાં લગભગ 2600 ખાતાઓ છે, તેમાંથી 4.5 કરોડ સ્વિસ ફ્રેન્ક એટલે કે લગભગ 300 કરોડ રૂપિયાની રાશિ પડી છે. 1955થી આ રાશિ પર કોઇ દાવો કરાયો નથી.
સૂચીની પહેલીવાર સાર્વજનિક કરતા સમયે લગભગ 80 સુરક્ષા જમામ બોક્સ હતા. સ્વિસ બેન્કિંગ કાનૂન હેઠળ આ સૂચીમાં દર વર્ષે નવા ખાતાઓ જોડાઇ રહ્યા છે. હવે આ સૂચીમાં ખાતાઓની સંખ્યા લગભગ 3500 થઇ ગઇ છે. સ્વિસ બેન્ક ખાતાઓ છેલ્લા કેટલાક વર્ષથી ભારતમાં રાજનૈતિક દલીલોનો મુદ્દો બન્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, ભારતીયો દ્વારા સ્વિટ્ઝરલેન્ડની બેન્કોમાં પોતાના કાળા નાણા રાખવામાં આવે છે.