જે લોકો યોગ્ય રીતે ઊંઘ નથી લઈ શકતા તેમનું સ્વાસ્થ્ય ખરાબ રહે છે. ચહેરા પર તણાવ રહે છે અને કરચલીઓ દેખાય છે. પેટ સંબંધિત સમસ્યાઓ પણ જોવા મળે છે.
સૂવાને લઈ કોવિડ પછી 28 ટકાની પેટર્ન ખરાબ થઈ ગઈ
છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોની ઊંઘવાની રીતમાં ઘણા ફેરફાર થયા
મોબાઈલ કોલ કે મેસેજને કારણે ઊંઘમાં ખલેલ પડે છે
વર્લ્ડ સ્લીપ ડે દર વર્ષે 17 માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસથી સમજાય છે કે જીવનમાં ઊંઘનું મહત્વ શું છે? જે લોકો યોગ્ય રીતે ઊંઘ નથી લઈ શકતા તેમનું સ્વાસ્થ્ય ખરાબ રહે છે. ચહેરા પર તણાવ રહે છે અને કરચલીઓ દેખાય છે. પેટ સંબંધિત સમસ્યાઓ પણ જોવા મળે છે. જે લોકોને સ્વસ્થ ઊંઘ મળે છે તેમના ચહેરા પર એક અલગ જ પ્રકારની ચમક હોય છે. તેઓ સ્વસ્થ રહે છે અને તેમનું મગજ પણ ખૂબ જ એક્ટિવ રહે છે. ભારતીયો પર લોકલ સર્કલ્સના સ્તર પર એક સર્વે કરવામાં આવ્યો છે. સર્વેમાં સામે આવ્યું કે 55 ટકા લોકો 6 કલાક સુધી કોઈપણ અડચણ વગર સૂઈ રહ્યા છે તો કોવિડ પછી 28 ટકાની પેટર્ન ખરાબ થઈ ગઈ છે.
કોવિડ બાદ 28 ટકાની ઊંઘ ખરાબ
સર્વેમાં એ પણ જોવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોની ઊંઘવાની રીતમાં ઘણા ફેરફાર થયા છે કે કેમ ? 59 ટકા લોકોએ કહ્યું કે તેમને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. પહેલાની જેમ જ ઊંઘ આવે છે. 7 ટકાની ઊંઘ વર્કફ્રોમ હોમના કારણે સુધરી ગઈ છે. 28 ટકા લોકોની કોરોના બાદ સૂઈ જવાની પેટર્ન ખરાબ થઈ છે. 6 ટકાએ ઊંઘને લઈને કોઈ સ્થિતિ સ્પષ્ટ નથી કરી.
આ કારણોથી ડિસ્ટર્બ થઈ ઊંઘ
61 ટકા લોકોનું સામે આવ્યું કે વારંવાર ટોયલેટ જવાને કારણે ઊંઘ ડિસ્ટર્બ થઈ છે. 27 ટકા લોકોએ જણાવ્યું કે મોડા સૂવાથી અને સવારે ઉઠવાથી સાથે ઘરના કામકાજથી મુશ્કેલીઓ આવી છે. અન્ય 27 ટકાએ જણાવ્યું કે મચ્છર અને બહારના અવાજથી તેમની ઊંઘ ડિસ્ટર્બ થઈ છે. 20 ટકા લોકો સ્લીપ એપ્નીયિા અને અન્ય બીમારીથી પરેશાન રહ્યા. 12 ટકા બાળકો અથવા માતા-પિતાના કારણે અને 14 ટકાએ કહ્યું કે મોબાઈલ કોલ કે મેસેજને કારણે ઊંઘમાં ખલેલ પડી હતી.
છેલ્લા 12 મહિનામાં ઊંઘની સ્થિતિ
સર્વેમાં જોવામાં આવ્યું કે છેલ્લા 12 મહિનામાં લોકો કેવી રીતે સૂતા હતા. તેમને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો.તેમાં બહાર આવ્યું કે 2 ટકા લોકોને આઠથી 10 કલાકની ઊંઘ, 21 ટકાને 4 કલાક, 34 ટકાને 4થી 6 કલાક, 43 ટકા લોકોને 6થી 8 કલાકની ઊંઘ લીધી હતી.