કહ્યું, ભારતીય અર્થવ્યવસ્થા હજુ પણ 2019 ના વર્ષ કરતા પણ નીચે
દેશમાં આર્થિક સંકટ યથાવત, લોકો મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યાં છે.
ભારતીય અર્થતંત્ર સુધરી રહ્યું છે તેવા દાવાની વચ્ચે નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજિત બેનરજીએ એક મોટું નિવેદન આપ્યું છે. અભિજિત બેનરજીએ જણાવ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા હજુ પણ 2019 ના વર્ષ કરતા પણ નીચે છે. લોકો હજુ આર્થિક મુશ્કેલીઓના દોરમાંથી પસાર થઈ રહ્યાં છે. અમદાવાદ યુનિવર્સિટીના 11 મા દીક્ષાંત સમારોહને વર્ચ્યુઅલી સંબોધિત કરતા બેનરજીએ કહ્યું કે દેશમાં આર્થિક સંકટ હજુ પણ પહેલા જેવું છે. તમે એવા ઠેકાણે છો જ્યાં તમે દેશને આપી શકો છે.
અર્થતંત્ર હજી પણ સંકટમાં
તેમણે કહ્યું કે આર્થિક રીતે લોકો ભારતમાં ઘણી "મુશ્કેલી" માંથી પસાર થઈ રહ્યા છે. તેમણે તાજેતરમાં પશ્ચિમ બંગાળની મુલાકાત પર તેમના અનુભવો શેર કર્યા હતા. અભિજીત બેનર્જીના મતે લોકોની નાની આકાંક્ષાઓ હવે વધુ નાની થઈ ગઈ છે. તેમણે ભૂતકાળમાં પશ્ચિમ બંગાળના ગ્રામીણ વિસ્તારોમાં થોડો સમય વિતાવ્યો હતો.
નોબેલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જીએ કહ્યું હતું કે, "દેશનું અર્થતંત્ર હજી પણ 2019ના સ્તરથી નીચે છે. અમને ખબર નથી કે તે કેટલું નીચું છે, પરંતુ તે એકદમ નીચલા સ્તરે છે. હું તેના માટે કોઈને દોષી ઠેરવતો નથી, હું ફક્ત મારી વાત રજૂ કરી રહ્યો છું."
અભિજીત બેનર્જી 10 દિવસ સુધી તિહાડ જેલમાં હતા
અભિજીત બેનર્જી 10 દિવીસ દિલ્હીની તિહાડ જેલમાં જઈને આવ્યાં છે. પોતાના જેલનો અનુભવ શેર કરતા તેમણે કહ્યું કે જ્યારે હું જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)થી હાર્વર્ડ જવાનો હતો ત્યારે એક વિદ્યાર્થી આ આંદોલનમાં જોડાયો હતો. તે પછી મને તિહાડ જેલમાં લઈ જવામાં આવ્યો અને ૧૦ દિવસ સુધી ત્યાં રાખવામાં આવ્યો. તિહાડમાંથી બહાર આવ્યા ત્યારે વૃદ્ધોએ કહ્યું કે તમારી કારકિર્દી હવે ખરાબ થઈ ગઈ છે. હાર્વર્ડ અથવા અમેરિકા હવે તેને પ્રવેશવા દેશે નહીં.તેમણે વિદ્યાર્થીઓને તેમની કારકિર્દી પસંદ કરતી વખતે પરિવાર અને સમાજના દબાણમાં ન આવવા જણાવ્યું હતું. કારણ કે દેશને તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ છે.