કોરોના વાયરસ મહામારીને કારણે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકારે એક મોટી યોજના બનાવી છે. સરકારે વિદેથી લાવનાર લોકો માટે ચૂકવણી ખર્ચ નક્કી દીધો છે. આ સાથે તેમણે ભારત પરત આવવા માટે પોતે જ ખર્ચની ચૂકવણી કરવાની રહેશે આ અંગેની જાણકારી નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ આપી હતી.
વિદેશમાં ફસાયેલા લોકોને પરત લાવવા ભારત સરકારની તૈયારી
નાગરિક ઉડ્ડયન મંત્રીએ ભાડાને લઇને કરી મોટી જાહેરાત
તેમણે જણાવ્યું કે, યુરોપથી પરત આવવાનાર વ્યક્તિએ 50 હજાર રૂપિયા તથા અમેરિકાથી પરત આવવા માટે 1 લાખ રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, વિદેશોમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે 7 મેથી 13 મે સુધી 64 વિમાનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં દર અઠવાડિયે 15 વિમાનનું સંચાલન કરવામાં આવશે.
જાણો નક્કી કરાયેલ ભાડાની રકમ
The 64 flights include-UAE- 10 flights, Qatar- 2, Saudi Arabia- 5, UK- 7, Singapore- 5, United States-7, Philippines- 5, Bangladesh- 7, Bahrain - 2, Malaysia-7, Kuwait-5, and Oman-2: Civil Aviation Minister Hardeep Singh Puri https://t.co/n2l8L7DeRj
હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે લંડનથી મુંબઇ, લંડનથી અમદાવાદ, લંડનથી બેંગલોર અને લંડનથી દિલ્હી માટે 50 હજાર રૂપિયા ચૂકવવા પડશે. આ સાથે જ, શિકાગોથી દિલ્હી, શિકાગોથી હૈદરાબાદ માટે લગભગ 1 લાખ રૂપિયા ચુકવવા પડશે.આ સાથે જ, સાન ફ્રાન્સિસ્કો અને નેવાર્કથી પાછા ફરવા માટે પણ 1-1 લાખ રૂપિયા ચૂકવવા પડશે.
The rates fixed for the journey will be Rs 50,000 for London-Mumbai, similarly for London to Ahmedabad, London to Bengaluru and London to Delhi. For Chicago-Delhi-Hyderabad the rough cost will be about Rs 1 lakh: Civil Aviation Minister Hardeep Singh Puri
વિદેશમાં ફસાયેલા 14,800 નાગરિકોને પરત લાવવા કેન્દ્ર સરકારે કરી વ્યવસ્થા
આપને જણાવી દઇએ કે, કેન્દ્ર સરકાર દ્વારા વિદેશમાં ફસાયેલા 14,800 લોકોને પરત લાવવા ઓછામાં ઓછી 64 ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવામાં આવનાર છે. આ યોજના બુધવારથી શરૂ થશે. યુ.એસ., કુવૈત, ફિલિપાઇન્સ, બાંગ્લાદેશ, યુકે, સાઉદી અરેબિયા, મલેશિયા અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) માટે ખાસ ફ્લાઇટ્સ મોકલવામાં આવશે. આમાંની મોટાભાગની ફ્લાઇટ્સ એર ઇન્ડિયા દ્વારા સંચાલિત કરવામાં આવશે. લોકોને પાછા લાવતા સમયે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પણ કડક પાલન કરવામાં આવશે અને આ વિશેષ ફ્લાઇટ્સમાં ફક્ત 200 થી 300 મુસાફરોને બેસવા દેવામાં આવશે.
આ 12 દેશોમાંથી ભારતીયોને પરત લવાશે
સરકારે કહ્યું હતું કે UAE,UK,અમેરિકા, કતર, સાઉદી અરેબિયા, સિંગાપોર, મલેશિયા, ફિલિપાઈન્સ, બાંગ્લાદેશ, બહેરીન, કુવૈત અને ઓમાનમાંથી ભારતીયોને પરત લવાશે.
દેશમાં કોરોના વાયરસને કહેર
આપને જણાવી દઇએ કે, દેશમાં Covid-19ના દર્દીઓનો આંકડો વધીને 46000ને પાર પહોંચી ચૂક્યો છે. કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે મંગળવારે આપેલ જાણકારી પ્રમાણે દેશમાં કોરોના વાયરસને કારણે 1568 લોકોના મોત થયાં છે ત્યારે 46,433 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે.