સુદાનમાં મંગળવારે થયેલ એક ફેક્ટરી વિસ્ફોટથી 18 ભારતીયોના મોતના સમાચાર સામે આવ્યા છે. જેની વિદેશ મંત્રી એસ જયશંકરે આ ઘટનાની પુષ્ટિ કરી છે. તો બીજી તરફ ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જેમના માટે રક્તદાનની સુદાન સરકારે અપીલ કરી છે.
આ ફેક્ટરીમાં 50થી વધુ ભારતીયો કરે છે કામ
ગેરકાયદેસર વિસ્ફોટક સામગ્રી સંગ્રહિત કરવામાં આવી હતીઃ સુદાન સરકાર
સરકારે નાગરિકોને રક્તદાનની કરી અપીલ
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે મને હમણા સલૂમી સ્થિત એક ફેક્ટરીમાં વિસ્ફોટની માહિતી મળી છે. આ દુર્ઘટનામાં 18 લોકોના મોત થયા છે, ત્યારે કેટલાક અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત જણાઇ રહ્યા છે. આ બ્લાસ્ટમાં કુલ 23 લોકોના મોત થયા છે, ત્યારે 130 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગયા છે. દુર્ઘટનાના કારણે એક એલપીજી સિલિન્ડરમાં બ્લાસ્ટ છે. ભારતીય મિશને આ વાતની જાણકારી આપી છે.
EAM S Jaishankar: Have just received tragic news of a major blast in a ceramic factory “Saloomi” in Bahri area of the capital Khartoum in Sudan. Deeply grieved to learn that some Indian workers have lost their lives while some others have been seriously injured. (file pic) pic.twitter.com/aOvE9pPoUt
દૂતાવાસે મંગળવારે પોતાની વેબસાઇટ પર એક નિવેદનમાં કહ્યું કે અત્યાર સુધી મળેલ રિપોર્ટ અનુસાર ભારતીય શ્રમિકો સહિત કેટલાક લોકોના મોત થયા અને કેટલાક અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમણે જણાવ્યું કે ફેક્ટરીમાં 50થી વધુ ભારતીય મજૂર કામ કરે છે.
ગેરકાયદેસર વિસ્ફોટક સામગ્રી સંગ્રહિત કરવામાં આવી હતીઃ સુદાન સરકાર
ત્યારે, અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃત્યુઆંક વધી શકે છે. બીજી તરફ સુદાન સરકારનું કહેવું છે કે અયોગ્ય રીતે વિસ્ફોટક સામગ્રી સંગ્રહિત કરવામાં આવી હતી, જેના કારણે આગ ફેલાઇ ગઇ. અહીં આગ બુઝાવવા માટે જરૂરી સુરક્ષા સાધનોનો અભાવ હતો.
ઘટના સ્થળે હાજર અધિકારીઓએ જણાવ્યું કે ઉત્તર ખાર્તૂમના ઔદ્યોગિક ઝોનમાં ટાઇલ નિર્માણ એકમમાં વિસ્ફોટ બાદ કાળા ધૂમાડો આકાશમાં ફેલાયો હતો.
સરકારે નાગરિકોને રક્તદાનની કરી અપીલ
દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોની સારવાર માટે સરકારે નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં રક્તદાન કરવાની અપીલ કરી છે. આ વર્ષની શરૂઆતમાં પણ પ્રેસેડેન્શિયલ નિવાસ પાસે ઘણી ભયાનક આગ લાગી હતી, જેમાં સંપત્તિને ઘણુ નુકસાન પહોંચ્યું હતું.