ભારતના હવાઈમથકો અને બંદરોને એલર્ટ કરવામાં આવ્યાં છે. અફઘાનિસ્તાન જઈને ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા 25 ભારતીયોના પ્રવેશ સંદર્ભે આ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.
ભારતના હવાઈમથકો અને બંદરોને સંતર્ક કરાયા
NIAનો ખુલાસો, ભારતના 25 લોકોએ IS સાથે હાથ મિલાવ્યો
કોઈ અન્ય દેશ દ્વારા ભારતમાં ઘુસણખોરીના થઈ શકે પ્રયાસ
એનઆઈએ તરફથી દિલ્હી, કર્ણાટક, કેરળ અને તામિલનાડુમાં કરવામાં આવેલી તપાસ બાદ 25 લોકોને ખુંખાર આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયા હોવાની વાત સામે આવી છે.
દેશના 43 મુખ્ય હવાઈ મથકો પર સુરક્ષા વધારાઈ
એનઆઈએનું કહેવુ છે કે, આ લોકોને અત્યારના સ્ટેટસ અંગે માહિતી નથી. પરંતુ તેઓ અફઘાનિસ્તાન ગયા હતા અને પછી અફઘાનિસ્તાનના નાંગરહાર રાજ્યમાં જઈ આઈએસ સાથે જોડાઈ ગયા હતા. આ ખુલાસા બાદ એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે. દેશના 43 મુખ્ય હવાઈ મથકો, બંદરો અને રેલરૂટ પર સંતર્કતા વધારી દેવામાં આવી છે. એક અગ્રગણ્ય અખબારના અહેવાલ મુજબ, એજન્સીઓને આશંકા છે કે આ લોકો કોઈ અન્ય દેશ દ્વારા ભારતમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી શકે છે.
શંકાસ્પદો સામે રેડ કોર્નર નોટીસ જાહેર કરાઈ
એનઆઈએના એક અધિકારીએ કહ્યું કે, આમાંથી અમુક લોકોના પરિવારોનું કહેવુ છે કે તેમની મોત થઈ છે. પરંતુ તેની પુષ્ટિ માટે અફઘાનિસ્તાનની એજન્સીઓની રાહ જોવાઈ રહી છે. એનઆઈએની માંગ પર પહેલેથી જ આ શંકાસ્પદો સામે રેડ કોર્નર નોટીસ જાહેર કરવામાં આવી છે. જેમાં અબ્દુલ્લા રાશિદ અને ડૉ. ઈજાસ કલ્લુકેટિયા પણ સામેલ છે. જેના પર આરોપ છે કે તેમણે બે ડઝન યુવાનોને ઈસ્લામિક સ્ટેટનો ભાગ બનવા માટે પ્રેરીત કર્યા હતા.
ભારતીય મૂળની અમુક મહિલાઓ IS સાથે જોડાઈ હતી
કેરળના કાસરગોડમાં રહેતા પુરાયિલને લઇને આશંકા છે કે ઓગષ્ટ 2020માં જલાબાબાદ બ્લાસ્ટમાં તેઓ સામેલ હતા. આ સિવાય વધુ એક શંકાસ્પદ મોહસિન છે, જેને લઈને કહેવામાં આવી રહ્યું છે કે તેણે ગયા વર્ષે અફઘાનિસ્તાનમાં ગુરૂદ્વારામાં હુમલો કરાવ્યો હતો. જેમાં 25 લોકોના મોત થયા હતા. આ ઉપરાંત એજન્સીઓનું કહેવુ છે કે ભારતીય મૂળની અમુક મહિલાઓ જે ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલી હતી. તેમણે અફઘાનિસ્તાનની ગની સરકાર સમક્ષ સમર્પણ કર્યુ હતુ. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે તાલિબાનોની સત્તા ફરીથી પાછી આવ્યાં બાદ તેઓને જેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યાં છે.