ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ઇંગ્લેન્ડ સામે 2-1થી હાર મળી છે.
ઈંગ્લેન્ડ સામેે 2-1થી સીરિઝ હાર્યું ભારત
મહિલા ક્રિકેટ ટીમની બેટિંગ નબળી
બેટિંગથી નારાજ કેપ્ટન હરમનપ્રીત કૌર
ઈંગ્લેન્ડ સામે 2-1થી સીરિઝ હાર્યું ભારત
ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં પ્રદર્શનમાં સ્થિરતાને લઇને મોટેભાગે અવાજો ઉઠતા રહે છે. આવું જ એકવાર ફરિ જોવા મળ્યું. એક મહિના પહેલા ઇંગ્લેન્ડની જ ધરતી પર કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીતનાર ભારતીય ટીમ હવે ઇંગ્લેન્ડમાં જ હારી ગઈ છે. ટીમના બેટરોએ ત્રણ મેચોની આખી સીરીઝમાં લગભગ નિરાશ કર્યા છે. ત્રીજા મુકાબલામાં સીરીઝ 1-1 પર હતી. અ મહત્વના મુકાબલામાં બેટર્સ ખાસ કમાલ ન કરી શક્યા અને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 122 રન જ બનાવી શક્યા.
જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે 18.2 ઓવરમાં માત્ર ત્રણ વિકેટ ગુમાવીને સરળતાથી આ લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું. ઇંગ્લેન્ડની ટીમે આ મેચ તો જીતી જ લીધી પણ સાથે જ 2-1થી સીરીઝ પણ પોતાને નામ કરી. સીરીઝની પહેલી જ મેચમાં ભારતીય ટીમ તરફથી નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું હતું, જ્યારે બીજી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને માત આપી હતી.
#TeamIndia fought hard but it was England who won the third T20I to win the series 2-1. #ENGvIND
બેટિંગથી નારાજ કેપ્ટન
મેચ બાદ કેપ્ટન હરમનપ્રીત કૌરે ફરીથી એ જ વાત કરી, જે વારંવાર સાંભળવા મળે છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે અમે 20 રન ઓછા બનાવ્યા, પણ અમારા બોલર્સે અમને મેચમાં બાંધી રાખ્યા હતા. રાધા યાદવ હંમેશા એક એવી ખેલાડી રહી છે, જે ખેલમાં પોતાના 200 ટકા આપે છે. રુચા ઘોષે અમને એક મજબૂત ટારગેટ પર પહોંચાડ્યા. બેટિંગમાં અમારે પાર્ટનરશિપ કરવી પડશે. જોવું પડશે કે 18, 21 અને 24 સપ્ટેમ્બરના રોજ થનારી મેચોમાં ટીમના આ પ્રદર્શનમાં સુધાર જોવા મળે છે કે નહીં.