દુષ્કર્મના કેસની સુનાવણી દરમિયાન કર્ણાટક હાઈ કોર્ટે કહ્યું કે દુષ્કર્મ બાદ સૂઈ જવું એ ભારતીય મહિલાઓનું આચરણ નથી. હકીકતમાં, મહિલાએ યુવક પર લગ્નના ખોટા વચનો આપીને તેના પર દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો હતો. કોર્ટે દુષ્કર્મના આરોપીની આગોતરા જામીન અરજી પર સુનાવણી કરી રહી હતી.
કર્ણાટક કોર્ટની આ કેસની સુનાવણી દરમિયાન મહિલાએ પોતાના એક નિવેદનમાં ખુલાસો કર્યો અને કહ્યું કે તે દુષ્કર્મ બાદ કંટાળીને સૂઈ ગઈ હતી. જસ્ટીસ ક્રિષ્ના એસ દિક્ષિતે તેના નિવેદન પર વાંધો ઉઠાવ્યો હતો.
મહિલાના આરોપ અંગે શંકા વ્યક્ત કરતાં કોર્ટે અરજદારને 1 લાખ રૂપિયાની જામીન રકમ અને કેટલીક શરતોથી નિર્દોષ જાહેર કર્યા હતા. ન્યાયાધીશ ફરીયાદીના સ્પષ્ટીકરણથી સંતુષ્ટ ન હતા કે તે દુષ્કર્મ બાદ સૂઈ ગઈ હતી. ન્યાયાધીશે પોતાનો ચુકાદો આપતી વખતે કહ્યું કે તે અયોગ્ય છે અને દુષ્કર્મ થયા પછી અહીંની મહિલાઓ આવું વર્તન કરતી નથી.
જામીનના આદેશ સાથે જ જજે કહ્યું કે ફરિયાદી મહિલા એ સમજાવવામાં નિષ્ફળ રહી છે કે તે કથિત ઘટનાના દિવસે રાતે 11 વાગે પોતાની ઓફિસ શું કરવા ગઈ હતી. અને આરોપી સાથે દારૂ પીવા માટે કોઈ પણ પ્રકારની આપત્તિ કેમ ન જતાવી.
કોર્ટે દુષ્કર્મના આરોપીને છ શરતો પર જામીન આપી દીધા છે અને આદેશ મુજબ જો કોઈ શરત ભંગ કરવામાં આવે તો તેની જામીન રદ કરવામાં આવશે. આ ઉપરાંત આરોપીએ મહિનાના દરેક બીજા અને ચોથા શનિવારે પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની રહેશે.
જ્યારે બીજી બાજુ ફરિયાદીના વકીલે આ જામીનનો વિરોધ કરતા કહ્યું હતું કે આરોપીઓ સામેના ગુનાઓ ગંભીર છે અને તેને સાબિત કરવા માટે પૂરતા પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. ગુનેગારના આગોતરા જામીનને 'સમાજ માટે અસુરક્ષિત' ગણાવીને તેમણે તેમની અરજી રદ કરવાની માંગ કરી હતી.
આ તરફ ન્યાયાધીશે કહ્યું કે ગુનાની 'ગંભીર પ્રકૃતિ' નાગરિકને સ્વતંત્રતાથી વંચિત રાખવા માટેનું કારણ હોઈ શકતું નથી, ખાસ કરીને જ્યારે પોલીસ દ્વારા 'પ્રાઇમ ફેસી' કેસ કરવામાં આવ્યો ન હોય.