અલ્હાબાદ હાઈકોર્ટે માન્યું છે કે, એક વિવાહિત મહિલા પોતાના પતિ પ્રત્યે ખૂબ જ પઝેસિવ હોય છે. તે કોઈની સાથે શેર કરી શકતી નથી.
અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો ચુકાદો
પતિ-પત્નીની સંબંધોને લઈને કહી આ વાત
નિચલી અદાલતના આદેશ વિરુદ્ધ કરી હતી અરજી
અલ્હાબાદ હાઈકોર્ટે માન્યું છે કે, એક વિવાહિત મહિલા પોતાના પતિ પ્રત્યે ખૂબ જ પઝેસિવ હોય છે. તે કોઈની સાથે શેર કરી શકતી નથી. આવી ટિપ્પણી કરતા હાલમાં જ હાઈકોર્ટે નિચલી અદાલતના આદેશ વિરુદ્ધ એક વ્યક્તિની અરજીને રદ કરી દીધી હતી, જેમાં ખુદને આત્મહત્યા કરવા માટે ઉકસાવાનો આરોપમાંથી છોડવાની માગ કરી હતી. આ વ્યક્તિની પત્ની કથિત રીતે આ કારણે આત્મહત્યા કરી લીધી હતી કે, તેના પતિએ છૂટાછેડા આપ્યા વગર બીજી મહિલા સાથે લગ્ન કરી લીધા હતા.
કોર્ટે કહી આ વાત
જસ્ટિસ રાહુલ ચતુર્વેદીની પીઠે તેની રિવીઝન અરજીને રદ કરી દીધી હતી કે, ભારતીય મહિલા કોઈ પણ ભોગે પોતાના પતિને શેર કરી શકતી નથી. કોર્ટે કહ્યું કે, કોઈ પણ વિવાહીત મહિલા માટે આ સૌથી મોટો ઝટકો હોય છે કે, તેનો પતિ કોઈ અન્ય મહિલા સાથે શેર કરવામાં આવી રહ્યો છે અથવા તો તે કોઈ અન્ય મહિલા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તેની પાસેથી કોઈ પણ પ્રકારની સમજદારીની અપેક્ષા રાખી શકાય નહીં. આ મામલામાં પણ આવું જ થયું, જ્યારે મહિલાને એ ખબર પડ્યા બાદ આત્મહત્યા કરી લીધી અને તેના પતિએ કોઈ અન્ય મહિલા સાથે છાનામાના લગ્ન કરી લીધા હતા.
શું હતો કિસ્સો
આરોપી સુશીલ કુમારે પત્નીએ સપ્ટેમ્બર 2018માં તેના અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ આઈપીસીની કલમ 323, 494, 504, 379 અંતર્ગત એફઆઈઆર નોંધાવી હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, આરોપી પહેલાથી કોઈ અન્ય મહિલા સાથે પરણેલો છે. આ લગ્નથી તેને બે બાળકો પણ છે. ત્યાર બાદ તેણે છૂટાછેડા આપ્યા વગર ત્રીજા લગ્ન પણ કરી લીધા. મહિલાએ આરોપી અને તેના પરિવાર વિરુદ્ધ મારપીટ, દુર્વ્યવહાર અને ગાળો આપવાનો આરોપ લગાવ્યો છે. આરોપીએ જ્યારે તેને છોડી અને અન્ય એક મહિલાને પોતાના ઘરમાં લાવ્યો તો, તેણે ફરિયાદ કરવાનુ વિચાર્યુ અને તુરંત બાદ ઝેર પીને આત્મહત્યા કરી લીધી હતી.