ભારતે તેનું યુદ્ધ જહાજ INS kochi સાઉદી અરબ મોકલ્યું છે. જ્યા બંને દેશની સેના દ્વારા યુદ્ધ અભ્યાસ કરવામાં આવશે.પરંતુ ભારતના આ પગલાને કારણે પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે.
સાઉદી અરબ પહોચ્યું ભારતનું યુદ્ધ જહાજ
બંને દેશના નૌકાદળ દ્વારા થશે યુદ્ધનો અભ્યાસ
ભારતના એન્જીનીયરોએ બનાવ્યું છે યુદ્ધ જહાજ
ભારતનું યુદ્ધ જહાજ ગત સાઉદી અરબ પહોચ્યું છે. જે યુદ્ધ જહાજ સાઉદી અરબ પહોચ્યું છે.તેનું નામ INS Kochi છે. જે બંને દેશના નૌકાદળ વચ્ચે યુદ્ધ અભ્યાસમાં ભાગ લેશે. આ યુદ્ધ અભ્યાસને અલ-મોહેદ-અલ હિંદી નામ આપવામાં આવ્યું છે. જ્યારે આ જહજ સાઉદી અરબના જુબેલ બંદરગાહ પર પહોચ્યું ત્યારે સાઉદી અરબના નૌકાદળે તેનું સ્વાગત કર્યું હતું.
બંને દેશની સેનાની ભાગીદારી આગળ આવશે
ગત વર્ષે ભારતીય સેનાના અધ્યક્ષ એમએમ નરવણે સઉદી અરબની રાજધાની રિયાદ ગયા હતા. જ્યા તેમણે સાઉદી અરબની સેનાના મોટા અધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં બંને દેશો વચ્ચેની સેનાની ભાગીદારીને આગળ વધારવાની વાત કરવામાં આવી હતી. જેથી આ યુદ્ધ અભ્યાસ તેને અનુલક્ષીનેજ કરવામાં આવી રહ્યો છે.
INS Kochi ભારતની શાન
આ યુદ્ધ અભ્યાસમાં જે જહાજનો ઉપયોગ થવાનો છે. તેનું નિર્માણ ભારતના એન્જિયરો દ્વારા કરવામાં આવ્યું છે. આ જહાજમાં એવા મિસાઈલ લગાવામાં આવ્યા છે. જે દુશ્મન પણ શોધી ન શકે. આ જહાજને આજની તારીખમાં ભારતની શાન માનવામાં આવે છે.
ભારત હવે આધુનિક હથિયાર બનાવામાં સક્ષમ
સાઉદી અરબ દુનિયામાં સૌથી વધારે હથિયારો ખરીદે છે. ભારતે યુદ્ધ અભ્યાસ માટે પોતાનું જહાજ મોકલીને તે વાત સાબિત કરી બતાવી છે કે ભારત પણ આધુનિક હથિયાર બનાવામાં સક્ષમ છે. જેથી સાઉદી અરબ હવે ઈચ્છે તો તે ભારત પાસેથી પણ હથિયાર ખરીદી શકે છે.
પાકિસ્તાનને મોટો ઝટકો
ભારત અને સાઉદી અરબની મિત્રતા પાકિસ્તાન માટે મોટો ઝટકો છે. કારણકે પાકિસ્તાન પહેલાથી સાઉદી અરબનો ભાગીદાર રહ્યો છે. સાઉદી અરબ ઈસ્લામનું કેન્દ્ર છે. સાથેજ તે સૌથી શક્તિશાળી ઈસ્લામિક દેશો પૈકી એક છે. તે પોતાને વિશ્વમાં ઈસ્લામનો ઠેકેદાર માનતું આવ્યું છે.
ઈમરાન ખાન પાસેથી પોતાનું જેટ પરત માગ્યું
ઈમરાન ખાન જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં ભાષણ આપવા ગયા હતા. ત્યારે સાઉદી અરબના પ્રિન્સે તેમને પોતાનું પ્રાઈવેટ જેટ આપ્યું હતું, ઈમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં જે ભાષણ આપ્યું હતું, તે ભાષણ બાદ સાઉદના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ઈમરાન ખાનથી નારાજ થયા હતા. જેથી તેમણે પોતાનું પ્રાઈવેટ જેટ પરત માગી લીધું હતું. તે સમયે ઈમરાન ખાન અમેરિકામાં હતા. જેથી તેમણે કોમર્શિયલ ફ્લાઈટ કરીને જવું પડ્યું હતું.
7500 કરોડ પણ પરત માગ્યા
ઉલ્લેખનીય છે કે સાઉદી અરબે 7500 કરોડની પાકિસ્તાનને લોન આપી છે. જે લોન હવે તેઓ પરત માગી રહ્યા છે. સાઉદી અરબે એવું કહ્યું હતું કે ભારત કાશ્મીર સહિત પોતાના આંતરિક મુદ્દાઓ પર નિર્ણય લેવાનો હક ધરાવે છે ત્યારે પણ પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો હતો