બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મેટ હેનકોકે ચેતવણી આપી છે કે ભારતીય કોરોના વેરિયન્ટ હજુ સુધી વેક્સિન ન લેનાર લોકો માટે ખતરનાક બની શકે છે.
બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મેટ હેનકોકની ચેતવણી
ભારતીય કોરોના વેરિયન્ટ વેક્સિન ન લેનાર લોકો માટે ખતરનાક
હાલની વેક્સિન સારી છે
લોકોએ જલદીથી વેક્સિન લેવી જોઈએ
તેમણે કહ્યું કે બોલ્ટન અને બેલ્કબર્ન જેવા વિસ્તારોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. જોકે તેમણે એ વાત પર સંતોષ વ્યક્ત કર્યો કે હાલની વેક્સિન સારી છે અને તે કોરોનાના તમામ વેરિયન્ટની સામે અસરકારક છે.
હેનકોકે જણાવ્યું કે જેઓ વેક્સિનેશન માટે યોગ્ય છે તેમણે વેક્સિન લેવી જોઈએ. જેમણે હજુ સુધી વેક્સિન લેવા માટે એપોઈનમેન્ટ બુક કરાવી નથી તેવા લોકોએ જલદીથી વેક્સિન લઈ લેવી જોઈએ.
હેનકોકે જણાવ્યું કે લોકડાઉનમાં છૂટની યોજના હજુ પણ આગળ લંબાવવામાં આવશે. 14 જુનના દિવસે એક જાહેરાત કરવામાં આવશે કે શું 21 જુનના અંતિમ તબક્કાને આગળ વધારવામાં આવશે.
રવિવારે કોરોનાના 311170 નવા કેસ નોંધાયા
કેન્દ્રી સ્વાસ્થ્ય મંત્રીના આંકડા અનુસાર રવિવારે કોરોનાના 311170 નવા કેસ નોંધાયા છે. સૌથી વધારે કેસ 7 મેના રોજ આવ્યા હતા. ત્યારે આ કેસનો આંક 4, 14, 915 નોંધાયો હતો. પરંતુ 9 દિવસમાં આ રેકોર્ડમાં 1, 03 745 ઘટાડો થયો છે. બહું ઓછા સમયમાં ઝડપથી ઘટાડો નોંધાયો છે.તેમજ સાજા થનારાની સંખ્યામાં વધારો થયો છે. 6માંથી 5 દિવસ એવા હતા જ્યારે સાજા થનારાનીં સંખ્યા સંક્રમિતો કરતા વધારે હતી. રવિવારે 55344 લોકો સાજા થયા.
દેશમાં 10 મેના રોજ 3745237 એક્ટિવ કેસ હતા. 16મેના આ સંખ્યા ઘટીને 36184558 થઈ ગઈ. 6 દિવસમાં 126779 કેસ ઘટ્યા. પણ મહારાષ્ટ્ર, યુપી, બિહાર, ગુજરાત, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ તથા હરિયાણાના એક્ટિવ કેસની સંખ્યા ઘટી. પણ તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, કેરળ, આસામ, ઓડિશા, ત્રિપુરા તથા ઉત્તરાખંડમાં ચિંતા વધી રહી છે.