ભારત છઠ્ઠી વેક્સિનને પરવાનગી આપે તેવી શક્યતા વધી ગઈ છે. આ અઠવાડિયે વધુ એક ભારતીય વેક્સિનને પરવાનગી મળી શકે છે. આ વેક્સિનને ભારતની સૌથી વિશેષ વેક્સિન માનવામાં આવી રહી છે.
છઠ્ઠી વેક્સિનને પરવાનગી આપી શકે છે ભારત
zydus ફાર્મા કંપનીની વેક્સિન ZYCOV-D ને મળી શકે છે પરવાનગી
ડેલ્ટા વેરિયન્ટ અને બાળકો પર પણ અસરકારક
ભારતમાં ત્રીજી લહેરની આશંકા વચ્ચે અમેરિકા જેવા દેશોમાં વેકસીનેશન છતાં કોરોનાનાં કેસો ફરીથી તેજ ગતિથી વધી રહ્યા છે. ત્રીજી લહેર અગાઉ ભારત સહિતનાં દેશો માટે આ ખતરાની ઘંટડી છે. પરંતુ આ તમામની વચ્ચે થોડા રાહતનાં સમાચાર આવી રહ્યા છે. ભારત વધુ એક અસરકારક વેક્સિનને પરવાનગી આપે તેવી સંભાવના છે.
ZYCOV-D ને મળી શકે છે પરવાનગી
zydus ફાર્મા કંપનીની વેક્સિન ZYCOV-D ડીએનએ પ્લાઝમીડ આધારિત વેક્સિન છે. આ વેક્સિનનાં ત્રણ ડોઝ રહેશે. આ વેક્સિનને 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર રાખી શકાય છે .
આ મહિનાની શરૂઆતમાં જ અમદાવાદ સ્થિત ફાર્મા કંપની ઝાયડસ કેડિલાએ ઇમરજન્સીમાં ઝાયકોવ-ડી રસીનો ઉપયોગ કરવાની મંજૂરી માટે સેન્ટ્રલ ડ્રગ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસકો) ને અરજી કરી દીધી હતી
વિશ્વની પ્રથમ ડીએનએ આધારિત કોરોનાની રસી હશે. કેન્દ્ર સરકારના બાયોટેકનોલોજી વિભાગ અને આઈસીએમઆર(ઇંડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ) એ ઝાયડસ કેડિલા સાથે મળીને રસી વિકસાવવા માટે સહયોગ કર્યો છે.
કઈ રીતે કામ કરે છે આ રસી?
ઝાયકોવ-ડી રસીનો ડોઝ શરીરમાં પ્રવેશતા જ શરીરના કોષોને એક પ્રકારનો કોડ આપે છે, ત્યારબાદ વાયરસના બાહ્ય ભાગ જેવા સ્પાઇક એટલે કે ખાંચાઓ શરીરમાં બનવાનું શરૂ થશે, શરીરની રોગપ્રતિકારક શક્તિ તેને જોખમ માનશે અને એન્ટિબોડીઝ બનાવનું શરૂ કરી દેશે. આ રીતે એક સમય બાદ શરીર કોરોનાથી બચવા માટે તૈયાર થઈ જશે
ઝાયકોવ-ડી એ એક પ્લાઝમિડ ડીએનએ વેક્સિન છે જે વાયરસના જીનેટિક્સનાં આધારે વિકસાવવામાં આવી છે. આમાં વપરાતા જીનેટિક ડીએનએ અણુઓ પોતે ફેલાઈ શકતા નથી, જેને પ્લાઝમિડ કહેવામાં આવે છે. વેક્સિન બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પ્લાઝમિડમાં કોડિંગ હોય છે જે શરીરને કોરોના જેવા સ્પાઇક પ્રોટીન બનાવવા માટે નિર્દેશ આપે છે.
ડેલ્ટા વેરિઅન્ટ પર અસરકારક વેક્સિન
કોરોનાંની બીજી લહેરથી દેશભરમાં 50 સ્થળોએ ત્રીજા તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે. ડો.પંકજ પટેલ સમજાવે છે કે સેરો સર્વેક્ષણમાં તમામ સ્ટ્રેઇનમાં 99 ટકા તો ડેલ્ટા વેરિએન્ટના કેસ હતા. એવી અપેક્ષા છે કે આ રસી ડેલ્ટા વેરિઅન્ટ પર પણ કામ કરશે. રસીના ત્રીજા તબક્કાનું ટેસ્ટિંગ એપ્રિલ, મે અને જૂનમાં થયું હતું જ્યારે બીજી લહેર ટોચ પર હતી. તેમણે એવો પણ દાવો કર્યો છે કે વેરિએન્ટ પ્રમાણે રસીમાં ફેરફારની સંભાવના પણ છે.
બાળકો પર પણ અસરકારક?
ઝાયકોવ-ડી રસીનું પ્રથમ, બીજા અને ત્રીજા તબક્કામાં 28 હજાર લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાંથી, હજારો લોકો 12 થી 18 વર્ષની વયના હતા. ડિસેમ્બર 2020 માં, પહેલા અને બીજા તબક્કાના ના ટ્રાયલને ટાંકીને ઝાયડસ ગ્રુપના અધ્યક્ષ ડો.પંકજ આર પટેલે કહ્યું કે, રસી સલામત અને અસરકારક છે અને બાળકો પર પણ અસર કરી શકે છે.