ભારત અને ચીનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચેની વાતચીત બાદ ગલવાન ઘાટીમાં સંઘર્ષવાળી જગ્યા પરથી ભારતીય સૈનિકોએ પણ 1.5 કિલોમીટર પીછેહઠ કરી હતી. અંગ્રેજી અખબાર ધ હિંદૂએ ભારત સરકારના એક વરિષ્ઠ અધિકારીનો હવાલો આપતા આ રિપોર્ટ આપ્યો છે.
ગલવાનમાંથી ચીની સૈનિકોએ કી પીછેહઠ
ભારતીય સેના પણ 1.5 કિલોમીટર ખસેડી સેના
આ તરફ સૈન્ય સૂત્રોએ પણ જણાવ્યું હતું કે, સમજૂતી હેઠળ પક્ષ વિવાદિત વિસ્તારથી 1 થી 1.5 કિલોમીટર પીછેહઠ હટી જશે અને જ્યારે આ પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારે બંન્ને રાષ્ટ્રો વચ્ચે આગળની દિશામાં ફરીવાર વાતચીત શરૂ થશે. આપને જણાવી દઇએ કે, અજીત ડોભાલે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કર્યા બાદ ચીને પોતાના સૈનિકોને પરત હટવા માટે જણાવ્યું હતું.
પોઇન્ટ 14 સુધી ભારતીય સૈનિકો હજી પેટ્રોલીંગ કરી રહ્યા હતા
પેટ્રોલિંગ પોઇન્ટ 14 સુધી ભારતીય સૈનિકો હજી પેટ્રોલીંગ કરી રહ્યા હતા, જ્યાં 15 જૂને ચીની સૈનિકો સાથે હિંસક અથડામણ થઈ હતી. 30 જૂને કમાન્ડર લેવલની બેઠકમાં થયેલા કરાર મુજબ હવે ભારતીય સૈનિકો આગામી 30 દિવસ સુધી ત્યાં જઈ શકશે નહીં. અધિકારીના જણાવ્યા મુજબ, ચિંતાજનક બાબત છે કારણ કે ચીની સૈનિકોએ લાઇન ઓફ એચ્યુઅલ કંટ્રોલ (LAC) ને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. તેમનું કહેવું છે કે જો તેનો નક્કર નિરાકરણ લાવવામાં નહીં આવે તો ભારત આ વિસ્તારમાં પેટ્રોલનો પોતાનો અધિકાર કાયમ માટે ગુમાવી શકે છે.
પેટ્રોલિંગ પોઇન્ટ 14 સુધી ભારતે બનાવી સડક
અધિકારીના જણાવ્યા પ્રમાણે ભારતે પેટ્રોલિંગ પોઇન્ટ 14 સુધી સડક બનાવી લીધી છે જ્યા હિંસક અથડામણ થઇ હતી. અહીંથી આર્મીએ પોતાનું પેટ્રોલિંગ પર શરૂ કર્યું હતું. આ સમજૂતિ પ્રમાણે ભારત ત્યાં સુધી પેટ્રોલિંગ કરી શકશે. હવે આશંકા છે કે, વ્યવસ્થા 30 દિવસથી વધીને ક્યાંય સ્થાયી થશે. અધિકારીએ જણાવ્યું કે,15 જુનના રોજ થયેલ હિંસક અથડામણની જગ્યાથી 3.5થી 4 કિલોમીટર વિસ્તારને બફર જોન જાહેર કરવામાં આવ્યો કારણ કે, હવે ગલવાનમાં બંન્ને રાષ્ટ્રો તરફથી 30થી વધુ સૈનિકો તૈનાત નહીં કરી શકાય