કર્ણાટકમાં એક એવુ અનોખુ મંદિર છે, જ્યાં બિલાડીની પૂજા કરવામાં આવે છે. એવુ કહેવામાં આવે છે કે આ મંદિરમાં છેલ્લાં 1000 વર્ષથી બિલાડીની પૂજા કરાઈ રહી છે.
કર્ણાટકમાં છે એક અનોખુ મંદિર
અહીં કરવામાં આવે છે બિલાડીની પૂજા
છેલ્લાં 1000 વર્ષથી બિલાડીની પૂજા કરાઈ રહી છે
કર્ણાટકના આ મંદિરમાં બિલાડીની પૂજા કરવામાં આવે છે
જ્યારે આપણે કોઈ જગ્યાએ જઇએ છીએ અને બિલાડી રસ્તો કાપે તો તેને અશુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં બિલાડીને અશુભ માનવામાં આવી છે. બિલાડીને જોવી અથવા રસ્તો કાપવાથી તમારી માથે મુશ્કેલી આવી શકે છે. બિલાડી રસ્તો કાપે એટલે લોકો થોડી વાર માટે ત્યાં અટકી જાય છે. તો કર્ણાટકમાં એક એવુ અનોખુ મંદિર છે, જ્યાં બિલાડીની પૂજા કરવામાં આવે છે. એવુ કહેવામાં આવે છે કે આ મંદિરમાં છેલ્લાં 1000 વર્ષથી બિલાડીની પૂજા થઇ રહી છે.
ભારતમાં અહીં કરવામાં આવે છે બિલાડીની પૂજા
બિલાડીનુ આ અનોખુ મંદિર કર્ણાટકના માંડ્યા જિલ્લામાંથી 30 કિલોમીટર દૂર બેક્કાલેલે ગામમાં આવેલુ છે. આ ગામનુ નામ કન્નડના બેક્કૂ શબ્દ પર પડ્યો છે, જેનો અર્થ બિલાડી થાય છે. આ ગામના લોકો બિલાડીને દેવીનો અવતાર માને છે અને તેની વિધિ વિધાન પૂર્વકક પૂજા કરે છે. આ ગામના લોકો બિલાડીને દેવી મનગમ્માનો અવતાર માને છે.
આખરે કયા કારણે છે આવી માન્યતા
માન્યતાઓ મુજબ દેવી મનગમ્માએ બિલાડીનુ રૂપ ધારણ કરીને ગામમાં પ્રવેશ કર્યો હતો અને નકારાત્મક શક્તિઓથી ગ્રામજનોની રક્ષા કરી હતી. આ જગ્યાએ બાદમાં એક બાંબી બની ગઇ હતી. ત્યારથી અહીના સ્થાનિક લોકો બિલાડીની પૂજા કરે છે. આ વાત તમારા માટે થોડી અજીબ જરૂર હોઇ શકે છે, પરંતુ સ્થાનિકોમાં બિલાડી પ્રત્યે આસ્થા છે અને બિલાડીને સકારાત્મક દ્રષ્ટિએથી જોવે છે. જાણકારી મુજબ, કર્ણાટકના આ ગામના લોકો બિલાડીની હંમેશા રક્ષા કરવામાં વિશ્વાસ રાખે છે. એવુ કહેવામાં આવે છે કે જો આ ગામમાં કોઈ બિલાડીને નુકસાન પહોંચાડે છે તો તેને આ ગામમાંથી બહાર કરી દેવામાં આવે છે.