હાર્દિક પંડ્યાને વેસ્ટ ઇન્ડીઝ સીરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં વન-ડે મેચોમાં તેના સ્થાને બીજા સ્ટાર ખેલાડીને તક મળી શકે છે.
આજે સાંજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પહેલી ODI મેચ
હાર્દિક પંડ્યાને આ સિરીઝમાં આરામ આપવામાં આવ્યો
કે એલ રાહુલ કોરોના પોઝીટીવ આવતા મેચમાંથી બહાર
ભારતીય ટીમને શિખર ધવનની કેપ્ટનશિપમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ મેચની વન ડે સિરીઝ રમવાની છે. ઘણા સ્ટાર ખેલાડીઓને વનડે શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. જેમાં સ્ટાર હાર્દિક પંડ્યા, રેગ્યુલર કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહનો સમાવેશ થાય છે. હાર્દિક પંડયાના સ્થાને વિન્ડિઝ પ્રવાસમાં સ્ટાર ઓલરાઉન્ડરને સામેલ કરવામાં આવી શકે છે. આ ખેલાડી બોલિંગ અને બેટિંગમાં એક્સપર્ટ છે.
આ ખેલાડી થઈ શકે છે
ભારતીય ટીમમાં વિન્ડિઝ પ્રવાસમાં હાર્દિક પંડયાના સ્થાને શાર્દૂલ ઠાકુરને સામેલ કરવામાં આવી શકે છે. શાર્દુલ શાનદાર ફોર્મમાં છે. તે એક એવો ખેલાડી છે જે નીચલા ક્રમે ઉતરીને વિસ્ફોટક બેટિંગમાં નિષ્ણાત છે. તે ઝડપી છે. શાર્દુલ પાસે દરેક તીર છે જે વિરોધી ટીમને નષ્ટ કરી શકે છે.
શાર્દુલ ઠાકુર શાનદાર ફોર્મમાં
શાર્દુલ ઠાકુર શાનદાર ફોર્મમાં છે. તેની લાઈન અને લેન્થ ખૂબ જ સચોટ છે અને તે એકદમ કારગર સાબિત થાય છે. જ્યારે પણ કેપ્ટનને વિકેટની જરૂર પડે છે, ત્યારે તે શાર્દુલ ઠાકુરનો નંબર લગાવે છે. શાર્દુલ ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈ તરફથી રમે છે. જો તે વિન્ડિઝ પ્રવાસમાં સારો દેખાવ કરશે તો તેને ટી-20 વર્લ્ડ કપમાં સ્થાન મળી શકે છે.
ત્રણેય ફોર્મેટ ભારત માટે રમ્યા
શાર્દુલ ઠાકુર ભારત તરફથી ત્રણેય ફોર્મેટમાં રમી ચૂક્યો છે. તેણે વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. તેણે ટીમ ઈન્ડિયા માટે 8 ટેસ્ટમાં 27 વિકેટ, 19 વન ડેમાં 25 વિકેટ અને 25 ટી-20માં 33 વિકેટ ઝડપી છે.