BCCIની ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC) ના સદસ્ય મદન લાલનું માનવું છે કે માર્ચના પહેલા સપ્તાહ સુધી ભારતીય ક્રિકેટ ટીમને નવા સિલેક્ટર્સ મળી જશે. મદન લાલ, આર.પી. સિંહ અને સુલક્ષણા નાઇકની નવી CAC પર ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદ અને ગગન ખોડાની જગ્યાએ બે નવા પસંદગીકર્તાઓની ભરતી કરવાની જવાબદારી છે.
માર્ચના પહેલા સપ્તાહ સુધી ભારતીય ક્રિકેટ ટીમને નવા સિલેક્ટર્સ મળશે
પહેલી અથવા બીજી માર્ચ સુધીમાં નવા સિલેક્ટર્સના નામનું એલાન થઇ શકે છે
પૂર્વ લેગ સ્પિનર શિવરામાકૃષ્ણનન અને પૂર્વ ફાસ્ટ બોલર અજિત આગરકર મુખ્ય પસંદગીકર્તા બનવાની રેસમાં
મદનલાલે કહ્યું કે નવા સિલેક્ટર્સના નામનું એલાન કરવા માટે કોઇ તારીખ નક્કી નથી પરંતુ એક અથવા બે માર્ચ સુધી આ નામોની જાહેરાત થઇ શકે છે.
મદનલાલે કહ્યું, અમારી પાસે લિસ્ટ આવી ગયું છે. હવે અમે ઉમેદવારોની પસંદગી કરીશું. અમે ત્રણેય બેસીને જોઇશું અને નિર્ણય લઇશું કે અંતિમ રાઉન્ડના ઇન્ટરવ્યૂ માટે કોને બોલાવવામાં આવે. ભારતીય ટીમના ન્યૂઝીલેન્ડથી આવતા પહેલા એક અથવા બે માર્ચ સુધીમાં અમે નવા સિલેક્ટર્સનું નામ જાહેર કરી દઇશું.
તેઓએ કહ્યું કે અમારી આ પસંદગી જલ્દી જ ખતમ કરવાની છે કેમકે સિલેક્ટર્સને દક્ષિણ આફ્રીકાની વિરુદ્ધ યોજાવા જઇ રહેલી વનડે સીરિઝ માટે ટીમની પસંદગી કરવાની છે જે 12 માર્ચથી શરૂ થશે. મદનલાલને જ્યારે પૂછવામાં આવ્યું કે શું CACના ત્રણેય સદસ્યોએ બેઠક કરી છે તો તેઓએ કહ્યું કે તેઓને હાલ તો માત્ર ઉમેદવારોના નામ મળ્યા છે અને હજુ સુધી કોઇ બેઠક નથી થઇ.
પૂર્વ લેગ સ્પિનર લક્ષ્મણ શિવરામાકૃષ્ણનન અને પૂર્વ ફાસ્ટ બોલર અજિત આગરકર મુખ્ય પસંદગીકર્તા બનવાની રેસમાં છે. નિયમોને જોવામાં આવે તો ટેસ્ટ મેચ રમવાના મામલામાં સૌથી વધારે સીનિયર ખેલાડીને સમિતિના ચેરમેન બનવાવામાં આવે છે. બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે સૌથી વધારે ટેસ્ટ મેચ રમનારા ખેલાડીને જ મુખ્ય પસંદગીકર્તા બનાવવામાં આવશે.
આમ શિવરામાકૃષ્ણનનને આગરકર પાછળ છોડી શકે છે કેમકે આગરકર ભારત માટે 26 ટેસ્ટ મેચ રમ્યા છે. જ્યારે લેગ સ્પિનરે 9 ટેસ્ટ મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. આગરકરના આવવાનો અર્થ એવો થશે કે સમિતિમાં પશ્ચિમ ક્ષેત્રથી બે પસંદગીકર્તા હશે, કેમકે જતિન પરાંજપયે પહેલાથી જ સમિતિમાં છે. આ ઉપરાંત પૂર્વ ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદ પણ ઉમેદવારોની લિસ્ટમાં છે.