ઓસ્ટ્રેલીયાની ટીમી કુલ 161 રન બનાવ્યા હતા પણ તેની સામે ભારતીય ટીમ 19.3 ઓવરમાં 152 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી
કેપ્ટન હરમનપ્રીત કૌરે 43 બોલ પર 65 રનની શાનદાર ઇનિંગ રમી હતી
162 રનનો ટાર્ગેટ પણ ન મેળવી શકી ભારતીય ટીમ
152 રન બનાવીને આખી ભારતીય ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી
ઈંગ્લેન્ડના બર્મિગહમમાં આયોજયેલ કોમનવેલ્થ ગેમ્સ 2022ના ક્રિકેટ ઇવેંટમાં ભારતીય મહિલા ટીમ અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રવિવારે મેચ રમાયો હતો. જો કે એ મેચમાં 9 રનથી ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા માટે આવેલ ઓસ્ટ્રેલીયાની ટીમને 161 રન પર 8 વિકેટ લઈને ઇનિંગ પૂરી કરી હતી. પણ તેની સામે 19.3 ઓવરમાં 152 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા માટે કેપ્ટન હરમનપ્રીત કૌરે 43 બોલ પર 65 રનની શાનદાર ઇનિંગ રમી હતી. એ છતાં પણ ટીમ ઇન્ડિયાને જીત ન મળી.
मैच हमारे पूरे हाथ में था लेकिन आखिरी के ओवर में हमसे कुछ गलतियां हुई जिसकी वजह से हमें नुकसान हुआ। हमने बहुत जल्दी ही विकेट खोया। स्वर्ण पदक मिलता तो ज्यादा अच्छा होता लेकिन मैं संतुष्ट हूं कि हम कुछ हासिल करके जा रहे हैं: रजत पदक जीतने पर हरमनप्रीत कौर, भारतीय कप्तान, बर्मिंघम pic.twitter.com/cxIzy4Ko7O
આ હાર સાથે ભારતીય ટીમે સિલ્વર મેડલથી જ સંતોષ કરવો પડ્યો હતો. એ મેચમાં ભારતીય ટીમ સહેલાઈથી જીતી શકે તેવું હતું પણ ત્રણ મોટી ભૂલોને કારણે મેચ આગળ જતાં વધુ મુશ્કેલ બની ગયો હતો અને અંતે ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.
કેપ્ટનની ભૂલ
ભારતીય ટીમે બોલિંગમાં સારી શરૂઆત કરી હતી અને 9 રન પર જ પહેલી વિકેટ પણ મેળવી લીધી હતી પણ કેપ્ટન હરમનપ્રીતે 4 ઓવરમાં અલગ અલગ પ્રયોગો કર્યા હતા. એમને ચારેય ઓવર અલગ અલગ બોલર પાસે ફેંકાવી હતી. અને એ વચ્ચે જ ઓસ્ટ્રેલીયાને રન બનાવવાનો મોકો મળી ગયો હતો.
ખેલાડીનો ન કર્યો પૂરતો ઉપયોગ
એ પછી રાધા યાદવે 7મી ઓવરમાં 3 રન આપ્યા હતા. સ્નેહ રાણાએ 8મી ઓવરમાં 8 રન આપ્યા હતા. પૂજા વસ્ત્રાકરે 9મી ઓવરમાં 12 રન આપ્યા હતા અને હરમનપ્રીતે 10મી ઓવરમાં 17 રન આપ્યા હતા. એ પછી 11 મી ઓવરમાં ઓસ્ટ્રેલીયાની બીજી વિકેટ મળી હતી અને 12 મા ઓવરમાં દિપ્તી શર્માએ એક મોટી વિકેટ મેળવી હતી. એ પછી હરમનપ્રીતે ફરી એક વખત મોટી ભૂલ કરી હતી. તેને દિપ્તીનો સાચો ઉપયોગ નહતો કર્યું અને તેની ચાર ઓવર ત્રણ સ્પેલમાં જ પૂરી કરી નાખી હતી. એ સમયે ઓસ્ટ્રેલીયા પર વધતાં દબાવનો ફાયદો ઉઠાવતા કેપ્ટનને નહતો આવડ્યો.
આ રીતે પલટી મેચ
162 રનનો ટાર્ગેટ મેળવવા માટે ભારતીય ટીમ મેદાન પર ઉતરી એ સમયે 22 રન પર જ ટીમ ઈન્ડિયાએ બે વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર સ્મૃતિ અને શેફાલી જલ્દી જ પવેલીયન પરત ફરી હતી. એ પછી કેપ્ટન હરમનપ્રીત કૌર અને જેમીમા એ સાથે મળીને 96 રનની મોટી ઇનિંગ રમી હતી. ભારતીય ટીમે 14 ઓવરમાં 2 વિકેટની નુકશાની સાથે 112 રન બનાવી નાખ્યા હતા. ત્યાંથી જીતવા માટે 36 બોલમાં 40 રનની જ જરૂર હતી. પણ એ બંનેની વિકેટ પડવા પર ભારતીય ટીમ પર દબાણ વધી ગયો હતો અને મેચ પૂરી રીતે પલટી ગઈ હતી.
34 રન બનાવવામાં 8 વિકેટ ગુમાવી
118 રન પર ત્રીજી વિકેટ જેમીમાની પડી હતી અને એ પછી કોઈ ખેલાડી મેદાન પર ટકી શક્યું નહતું. 152 રન બનાવીને આખી ભારતીય ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી અને 3 બોલ બાકી રહી હતી. આ રીતે 9 રનથી સહેલો મેચ ભારતીય ટીમ મેચ હારી ગઈ હતી.