બીસીસીઆઈએ નવા મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને ઊંચો પગાર આપવાનો નિર્ણય કર્યો છે. આ રકમ વાર્ષિક 8 કરોડ રૂપિયા હોઈ શકે છે. મળતી માહિતી મુજબ બીસીસીઆઈના તમામ અધિકારીઓમાં શાસ્ત્રીના પગાર મુદ્દે સર્વસંમત્તિ જોવા મળી છે.
રવિ શ્સ્ત્રીનો પગાર પૂર્વ કોચ અનિલ કુંબલેના પગાર કરતા એક કરોડ વધારે હશે. કુંબલેને સાડા છ કરોડ પગાર મળતો હતો. રસપ્રદ વાત એ છે કે કુંબલેએ પોતાનો પગાર એટલો જ વધારવાની માંગ કરી હતી જેટલો પગાર હવે શાસ્ત્રીને મળશે.
ત્રણ અન્ય કોચ ભરત અરૂણ આર શ્રીધર અને સંજય બાંગડને 2થી ત્રમ કરોડનો પગાર મળી શકે છે.