ભારતના પાડોશી દેશોમાં ભયંકર આર્થિક સંકટ ઘેરાયેલા છે. શ્રીલંકા બાદ હવે આ બે પાડોશી દેશો પણ કંગાળ થવાના આરે આવીને ઊભા છે.
શ્રીલંકામાં મહા આર્થિક સંકટ વ્યાપ્યું
ભારતના પાડોશી દેશોની હાલત ખરાબ
શ્રીલંકા બાદ પાકિસ્તાન અને નેપાળ કંગાળ થવાના આરે
શ્રીલંકા આઝાદી પછીના પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે અને આર્થિક સંકટ હાલમાં જ સુધરે તેવા કોઈ અણસાર દેખાતા નથી. શ્રીલંકામાં આ સમસ્યા પાછળ કોરોના મહામારી પણ એક બહુ મોટુ કારણ છે. ભારતીય ઉપમહાદ્વિપમાં ફક્ત શ્રીલંકા જ નહીં, પણ અન્ય પાડોશી દેશ પાકિસ્તાન અને નેપાળ માથે પણ આર્થિક સંકટનો ખતરો મંડરાઈ રહ્યો છે.
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન વારંવાર શહબાદ શરીફ સરકારને ચેતવણી આપતા રહે છે કે, જો સરકાર ધ્યાન નહીં આપે તો, ટૂંક સમયમાં જ શ્રીલંકા જેવી હાલત થઈ જશે. પાડોશી દેશોની અર્થવ્યવસ્થામાં સંકટ ભારત માટે પણ સારુ નથી. ભારતે પણ એલર્ટ રહેવાની જરૂર છે. હાલમાં એક નજર નાખીએ પાકિસ્તાન અને નેપાળની હાલત પર.
પાકિસ્તાનમાં મોંઘવારી દર 21 ટકાને પાર
પાકિસ્તાનમાં હાલના સમયમાં શહબાઝ શરીફનાહાથમાં દેશની કમાન છે. પણ તેઓ મોંઘવારીને સંભાળી શકવામાં સફળ થતા નથી. ત્યાં મોંઘવારી દર વદીને 21 ટકાથી વધારે પહોંચી ગઈ છે. પાકિસ્તાની રૂપિયો પણ પોતાના નિચલા સ્તરે પહોંચી ગયો છ.ે આજે ત્યાં એક ડોલરની સરખામણીમાં પાકિસ્તાની રૂપિયાની કિંમત 225 રૂપિયા થઈ ગઈ છે.
મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર ત્યાં પેટ્રોલિયમ ઉત્પાદનો પર આપવામાં આવતી સબ્સિડી ખતમ કરી દેવામાં આવી છે. ત્યાં ફક્ત 6 અઠવાડીયા સુધી ચાલે તેટલો જ વિદેશી મુદ્રા ભંડાર વધ્યો છે. કહેવાય છે કે, પાકિસ્તાન આગામી એક વર્ષમાં દેવુ ચુકવવા અને વિદેશ મુદ્રા ભંડાર માટે 4000 કરોડથી વધારે અમેરિકી ડોલરની જરૂર પડશે. અહીં જરૂરી વસ્તુઓના ભાવ અત્યંત વધી ચુક્યા છે. સામાન્ય લોકોના જીવન ત્રસ્ત છે. અહીં વિજળી સંકટ પણ પોતાની ચરમ પર છે. દેશ પર વિદેશી દેવુ ખૂબ વધી ગયું છે.
નેપાળમાં પણ વધી રહ્યા છે દરેક વસ્તુના ભાવ
ભારતના એક અન્ય પાડોશી દેશ નેપાળની વાત કરીએ તો, આ પર્યટક દેશમાં હાલત સારી નથી. કોરોનાના કારણે સૌથી વધારે માર પર્યટન પર પડી રહ્યો છે અને તેનું પરિણામ નેપાળને ભોગવવું પડ્યું છે. જો કે, નેપાળની સાથે એક સારી વસ્તુઓ એ છે કે, તેને વધારે દેવુ નથી લઈ રાખ્યું. ભારત અને પાકિસ્તાનની માફક નેપાળમાં પણ ખાવા પીવા સહિતની જરૂરી વસ્તુઓના ભાવ વધ્યા છે. નેપાળમાં સાર્વજનિક દેવુ જીડીપી લગભગ 43 ટકા છે.
મોંઘવારી વધવાના કારણે બેંક ખાલી થતી જાય છે. બેંકોમાં જમા પ્રક્રિયાને આકર્ષિત કરવા માટે ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર વધારીને 13 ટકા કરી દેવામાં આવ્યું છે. અહીં વિદેશી મુદ્રા ભંડાર ઓછા થવા લાગ્યા છે તથા ફક્ત સાત મહિનાનો ભંડાર બચ્યો છે. કોરોના થોડો હળવો થવા છતાં પણ પર્યટન ક્ષેત્રે રફ્તાર પકડી નથી. તેથી અહીં હાલત સારી નથી. બહારથી મોંઘુ તેલ મંગાવાના કારણે વધારે ખર્ચ થઈ રહ્યો છે.