કોરોના કાળમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે બંધ કરાયેલ શૈક્ષણિક કાર્ય ફરી શરુ કરવાની ચીને જાહેરાત કરી દીધી છે.
ચીનમાં અધુરુ ભણતર છોડનાર ભારતીય વિદ્યાર્થીઓ માટે ખુશખબર
ભારતમાંના ચીની રાજદૂતનું મોટું નિવેદન
કહ્યું- ટૂંક સમયમાં ભારતીય વિદ્યાર્થીઓ ચીનમાં સ્ટડી શરુ કરી શકશે
કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓ ભારત આવતા રહ્યાં હતા
20,000 વિદ્યાર્થીઓને રાહત
2020ની સાલમાં કોરોના મહામારીની શરુઆત સમયે ચીનમાંથી લગભગ 20000 વિદ્યાર્થીઓ તેમનું ભણતર અધુરુ છોડીને ભારત આવતા રહ્યાં હતા. પરંતુ હવે ચીને ભારતીય વિદ્યાર્થીઓને સારા સમાચાર આપ્યાં છે. ભારતમાંના ચીની રાજદૂત સન વેઇડોંગે જણાવ્યું હતું કે ભારત કે ભારતીય વિદ્યાર્થીઓની પ્રથમ બેચ નજીકના ભવિષ્યમાં તેમનો અભ્યાસ ફરી શરૂ કરશે અને બંને દેશોનો સંબંધિત વિભાગ તે તરફ કામ કરી રહ્યો છે. કોવિડ -19 ના સમય પછી ચીની સરકાર દ્વારા ભારતીય વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવશે અને બંને સરકાર સાથે મળીને કામ કરી રહી છે.
Indian students will soon resume studies in China: Ambassador Weidong
કોરોના મહામારી વખતે 20,000 વિદ્યાર્થીઓ ભારત આવતા રહ્યાં હતા
20,000 થી વધુ વિદ્યાર્થીઓ કોવિડ -19 સમય દરમિયાન ભારત પાછા ફર્યા હતા ત્યારથી તેઓ તેમનો અભ્યાસ શરુ થાય તેવી પ્રતિક્ષા કરી રહ્યા હતા. વિદ્યાર્થીઓ કોવિડ -19 વિઝા પ્રતિબંધોનો સામનો કરી રહ્યા હતા. આ વિદ્યાર્થીઓ મોટે ભાગે મેડિકલના વિદ્યાર્થીઓ છે. ચીનની આ જાહેરાત બાદ હવે થોડા વખતમાં ભારતીય વિદ્યાર્થીઓ ચીન જઈને તેમનું ભણતર શરુ કરી શકશે. મંગળવારે યોજાયેલી મીડિયા બ્રીફિંગમાં વિદેશ મંત્રાલય પ્રવક્તા વાંગ વેનબિને જણાવ્યું હતું કે ચીન ભારતીય વિદ્યાર્થીઓની સરળતાથી પરત ફરવા માટે મોટા પાયે કામ કરી રહ્યું છે.
ચીનની જાહેરાત વિદ્યાર્થીઓ માટે મોટી રાહત
ઉલ્લેખનીય છે કે સ્ટડી શરુ કરવાની ચીનની જાહેરાતથી ભારતીય વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે અને તેઓ ચીન જઈને તેમનું અધૂરુ ભણતર પુરુ કરી શકશે.