ભારતીય વિદ્યાર્થીઓને પાકિસ્તાનના ગુલામ કાશ્મીરની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ આપવાની પાકિસ્તાની દગાબાજીથી કેન્દ્ર સરકારે સતર્ક કર્યા છે. વિદ્યાર્થીઓને એવી નકલી સંસ્થાઓથી સાવધાન રહેવાની સલાહ અપાઇ છે. સાથે સાથે એમ પણ કહેવાયું છે કે આવી સંસ્થાઓની ડિગ્રી સંપૂર્ણ નકલી છે. યુજીસી કે એમસીઆઇ જેવી સંસ્થાઓ સાથે તેને કોઇ લેવાદેવા નથી.
પાકિસ્તાનની આ ચાલને ભારતીય યુવાનોને લોભાવવાની એક નવી કોશિશના રૂપમાં જોવાઇ રહી છે. યુજીસીએ માનવ સંસાધન વિકાસ મંત્રાલયના રિપોર્ટને લઇને એક એડવાઇઝરી પણ જારી કરી છે. તેમાં કહેવાયું છે કે ગુલામ કાશ્મીરમાં કેટલીક એવી નકલી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સંચાલિત થઇ રહી છે જે ભારતીય વિદ્યાર્થીઓને પોતાને ત્યાં પ્રવેશ આપવાની કોશિશ કરે છે. જેની ડિગ્રી સંપૂર્ણપણે નકલી છે.
તેમાં યુનિવર્સિટી, મેડિકલ કોલેજ અને એન્જિનિયરિંગ કોલેજો જેવી નકલી ઇન્સ્ટિટયૂટ સામેલ છે. યુજીસી સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે પહેલીવાર તેમના તરફથી એડ્વાઇઝરી જારી કરાઇ છે. જેથી ભારતીય વિદ્યાર્થીઓ કોઇ પણ પ્રકારની દગાબાજીમાં ન ફસાય.
રિપોર્ટ મુજબ ગુલામ કાશ્મીરમાં વિદ્યાર્થીઓમાં ભારતીય નામો સાથે મળતી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ખોલવાનો દાવો કરાયો છે. વેબસાઇટ દ્વારા તેમના પ્રવેશ માટે વિદ્યાર્થીઓને ઘણી બધી લોભામણી જાહેરાતો અપાઇ રહી છે. સૂત્રોની વાત માનીએ તો ભારતીય વિદ્યાર્થીઓને પાકિસ્તાનની આ સાજિશથી બચાવવા માટે પહેલેથી જ એલર્ટ કરાઇ રહ્યાં છે. સાથે સાથે આ વેબસાઇટથી સર્ચ કરનારા વિદ્યાર્થીઓ પર નજર પણ રાખવામાં આવી રહી છે.