મોન્ટીરીયલની CCSQ, CDE અને M કોલેજ અચાનક જ ફી ઉઘરાવી બંધ થઈ ગઈ, 2 હજાર વિદ્યાર્થીઓનું ભણતર રઝળ્યું
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ મુકાયા મુશ્કેલીમાં
3 ખાનગી કોલેજોના બંધ થતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
મોન્ટીરીયલમાં 3 કોલેજોએ ફી ઉઘરાવી અચાનક બંધ કરી દીધી
વિદેશ ભણવાના અભરખા જો જો મોંઘા ન પડે. કેનેડામાં ભણવા માટે ગયેલા 2 હજાર વિદ્યાર્થીઑ હાલ મુશ્કેલીમાં મુકાયા છે. 3 ખાનગી કોલેજો ફી ઉઘરાવી બંઘ કરી દેવામાં આવાત હવે ન ઘરના ન ઘાટના જેવો ઘાટ ઘડાયો છે. મોન્ટીરીયલની CCSQ, CDE અને M કોલેજે વેકેશન બાદ વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 9 થી 17 લાખ જેટલી ફીની માંગ કરી હતી. પણ ફી ભર્યાના થોડા જ દિવસોમાં કોલેજો બંધ થઈ જતાં હવે આસરે ગુજરાત,હરિયાણા,પંજાબના 2 હજારથી વધુ ભારતીય વિદ્યાર્થી ભણવા બાબતે રાઝળતા થઈ ગયા છે. આ પરેશાનીમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માંથી રાજકોટ,વડોદરા,અમદાવાદના 100થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા છે.
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ મુકાયા મુશ્કેલીમાં
પણ ઉપરોક્ત ઘટનાના એ લોકો માટે ચેતવણી રૂપ છે જે પોતાની ઘર વખરી પણ ગીરવે મૂકી પોતાના સંતાનોને વિદેશ ભણવવા મોકલે છે. હવે કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ સમગ્ર મામલે મદદની ગુહાર લગાવી રહ્યા છે. 2 હજારથી વધુ વિધાર્થીઓના ભવિષ્ય પર ખતરો છે. રૂ. 9 થી 17 લાખ જેટલી જંગી ફિ ભરીને પણ હાલ અભ્યાસથી વંચિત થતાં એકજુથ થઈ કડકડતી ઠંડીમાં વિરોધ કરી રહ્યા છે.
કેનેડા બોર્ડર પર 4 ગુજરાતીઓના થયા હતા મોત
22 જાન્યુઆરીના રોજ કેનેડામાં ભારે હિમવર્ષાને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું હતું. આ વચ્ચે કેનેડા-યુએસની બોર્ડર પર માઈનસ 35 ડીગ્રી ઠંડીમાં થીજી જતાં 4 ગુજરાતીઓના મૃતદેહ મળ્યા હતા. ગુજરાતના ગાંધીનગરના ડિંગુચાનો અને કલોલમાં રહેતા પટેલ પરિવારનાં સદસ્યો હોવાની વાત સામે આવી હતી. વિદેશમંત્રી એસ.જયશંકરે પણ મૃતદેહો ભારતીયોના હોવાનું સ્વિકાર્યું હતું. આ ચાર વ્યક્તિઓમાં એક પુરુષ, એક મહિલા અને બે બાળકોના મૃતદેહ મળ્યા હતા. આ ગમખ્વાર ઘટનામાં જીવ ગુમાવનારા જગદીશ પટેલ, વૈશાલી પટેલ, ધાર્મિક પટેલ અને ગોપી પટેલે જીવ ખોયો હતો.
અહી તકો નથી મળતી માટે સરકાર એવી તક ઉભી કરે કે લોકોને વિદેશનો મોહ ઓછો થાય: નીતિન પટેલ
કેનેડા બોર્ડર પર 4 લોકોના મોત મામલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી ઘટના વિશે નિવેદન આપતા કહ્યું હતું કે સરકાર એવી તક ઉભી કરે કે લોકોને વિદેશનો મોહ ઓછો થાય.