કોવિડ પ્રતિબંધોના કારણે ચીનમાં અભ્યાસ માટે પાછા નહીં જતાં વિદ્યાર્થીઓને વિદેશ મંત્રાલયે મોટી રાહત આપી છે.
ચીનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોટી રાહત
કોવિડ પ્રતિબંધોના કારણે ચીન જઈ શક્યા નથી
ભારતના વિદેશ મંત્રીએ કરી હતી વાત
કોરોના મહામારી બાદ સમગ્ર દુનિયામાં વિદ્યાર્થીઓના અભ્યાસ પ્રભાવિત થયા છે. તેનાથી સૌથી વધારે પ્રભાવિત વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ થયા છે. આ તમામની વચ્ચે કોવિડ પ્રતિબંધોના કારણે ચીનમાં અભ્યાસ માટે પાછા નહીં જતાં વિદ્યાર્થીઓને વિદેશ મંત્રાલયે મોટી રાહત આપી છે.
જયશંકર અને ચીની વિદેશ મંત્રી વચ્ચે વાતચીત
દૂતાવાસે જણાવ્યું છે કે, 25 માર્ચના રોજ વિદેશ મંત્રી એસ જયશંકર અને ચીની વિદેશ મંત્રી વાંગ યીની મીટિંગ બાદ હવે ચીને ભારતીય વિદ્યાર્થીઓને પાછા બોલાવાની ઈચ્છા વ્યક્ત કરી છે. બેઈઝીંગમાં આવેલા ભારતીય દૂતાવાસે આ જાણકારી આપી છે. ભારતીય વિદેશ મંત્રાલય આવા વિદ્યાર્થીઓનું લિસ્ટ તૈયાર રાખે, જે કોવિડ બાદ ચીનમાં લાગેલા પ્રતિબંધોના કારણે ત્યાં પાછા જઈ શક્યા નથી. ખાસ કરીને મેડિકલના વિદ્યાર્થીઓ, જે પોતાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા.
After the meeting of EAM Dr S Jaishankar with FM of China, Wang Yi on March 25th, Chinese side has expressed willingness to consider facilitating return of Indian students to China;request students to provide information by filling up the form by May 8th:Embassy of India in China pic.twitter.com/fDeMo661kM
આવા ભારતીય વિદ્યાર્થીઓએ પોતાની જાણકારી ભારતીય દૂતાવાસને શેર કરવાની રહેશે, જેથી ચેને ચીન સરકાર સાથે શેર કરી શકાય. જેના પર નિર્ણય થઈ શકે કે, કોવિડ પ્રતિબંધોની વચ્ચે ક્યા નિયમો અંતર્ગત ભારતીય વિદ્યાર્થીઓને ચીન પાછા ફરી શકે છે અને પોતાના અભ્યાસ ચાલું રાખી શકે છે.
20-22 હજાર વિદ્યાર્થીઓ ચીન જઈ શક્યા નથી
આપને જણાવી દઈએ કે, કોવિડ પ્રતિબંધોના કારણે લગભગ 20-22 હજાર વિદ્યાર્થીઓ ચીન પાછા જઈ શક્યા નથી. તેઓના મેડિકલ ક્લાસિસ ઓનલાઈન ચાલી રહ્યા છે. પણ ગત મહિને યુજીસીએ મેડિકલના વિદ્યાર્થીઓને સચેત કર્યા હતા. UGCએ કહ્યું હતું કે, જો આપ મેડિકલનો અભ્યાસ ઓનલાઈન ચાલું રાખશો, તો આપની ડિગ્રીને ભારતમાં માન્યતા નહીં મળે.
વિદ્યાર્થીઓએ કર્યું વિરોધ પ્રદર્શન
UGCના આ પ્રકારના નિર્ણય બાદ દેશના અલગ અલગ ભાગમાંથી મેડિકલના વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યા હતા. આજે શુક્રવારે પણ વિદ્યાર્થીઓ દિલ્હીના જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, પણ ચીન દ્વારા આપવામાં આવેલી ઢીલાસના કારણે વિદ્યાર્થીઓને ચોક્કસપણે રાહત મળશે.