ભારતીય શેરબજાર ગઈકાલે લાલનિશાન સાથે બંધ થયા બાદ આજે શુક્રવારે બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો, મેટલ શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી
ભારતીય શેરબજાર આજે સતત છઠ્ઠા દિવસે ઉતાર-ચઢાવ સાથે બંધ
ઓટો, રિયલ્ટી અને FMCG શેરોમાં દબાણ જોવામાં આવ્યું
CPSE, એનર્જી અને PSE સૂચકાંકો ઉછાળા સાથે બંધ થયા
ભારતીય શેરબજાર આજે સતત છઠ્ઠા દિવસે બંધ રહ્યું હતું. શુક્રવારે બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. મેટલ શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી છે. ઓટો, રિયલ્ટી અને એફએમસીજી શેરોમાં પણ દબાણ જોવામાં આવ્યું છે. CPSE, એનર્જી અને PSE સૂચકાંકો ઉછાળા સાથે બંધ થયા છે.
ભારતીય શેરબજારમાં આજે ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 141.87 પોઈન્ટ એટલે કે 0.24 ટકાના ઘટાડા સાથે 59463.93 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 45.45 પોઈન્ટ એટલે કે 0.26 ટકા ઘટીને 17465.80 ના સ્તર પર બંધ થયો હતો.
Sensex declines 141.87 points to end at 59,463.93; Nifty dips 45.45 points to 17,465.80
અદાણી એન્ટરપ્રાઈઝના શેરની શું અપડેટ ?
આ સાથે આજે ડિવિસ લેબોરેટરીઝ, અદાણી પોર્ટ્સ, એશિયન પેઈન્ટ્સ, કોલ ઈન્ડિયા અને ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ આજના વેપારમાં ટોચના નિફ્ટી ગેનર હતા. જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, M&M, JSW સ્ટીલ અને ટાટા સ્ટીલ નિફ્ટીમાં ટોપ લૂઝર હતા.
કાલે બજાર લાલ નિશાન પર બંધ થયું હતું
નોંધનીય છે કે, 23 ફેબ્રુઆરી એટલે કે ગઈકાલે ગુરુવારે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં BSEના 30 શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ 139.18 પોઈન્ટ્સ અથવા 0.23% ના ઘટાડા સાથે 59,605.80 ના સ્તર પર બંધ થયા છે. આ સાથે નિફ્ટી 43.05 પોઈન્ટ એટલે કે 0.25 ટકાના ઘટાડા સાથે 17,511.25 ના સ્તર પર બંધ થયો હતો.