જર્મનીમાં જર્મન સમય વૈધાનિક સમય છે તે જ રીતે ભારતમાં પણ અહીંનાં વૈધાનિક સમયનો ઉપયોગ કરવામાં આવશે. જ્યાર બાદ દેશનો પોતાનો એક માનક સમય હશે. એનપીએલનાં નિર્દેશક ડૉ. દિનેશ કુમાર અસવાલે સોમવારનાં રોજ જણાવ્યું કે, સરકારે દેશમાં દરેક ઉદ્દેશ્ય માટે ઉપયોગ કરવામાં આવતા સમયને એનપીએલની ઘડીયાળને અનુરૂપ કરવાની યોજના બનાવી છે.
જે રીતે જર્મનીમાં જર્મન સમય વૈધાનિક સમય છે તે જ રીતે ભારતમાં પણ અહીંનાં વૈધાનિક સમયનો ઉપયોગ કરવામાં આવશે. દેશમાં ભારતીય સમયનો ઉપયોગ અનિવાર્ય કરવા માટે કાયદો બનાવવામાં આવશે. જ્યાર બાદ દેશનો પોતાનો એક માનક સમય હશે. નેશનલ ફિઝિકલ લેબોરેટરી (એનપીએલ) હવે રેલ્વેથી લઇને બેંકિંગ સેક્ટર સુધી દરેકને ચોક્કસ સમયની જાણકારી આપશે.
એનપીએલનાં નિર્દેશક ડૉ. દિનેશ કુમાર અસવાલે સોમવારનાં રોજ જણાવ્યું કે, સરકારે દેશમાં દરેક ઉદ્દેશ્ય માટે ઉપયોગ કરવામાં આવતા સમયને એનપીએલની ઘડીયાળને અનુરૂપ કરવાની યોજના બનાવી છે. એનપીએલનો સમય આંતરરાષ્ટ્રીય સમયની તુલનામાં 2.7 નૈનો સેકન્ડ સુધી ચોક્કસ છે. હાલમાં દેશનો સટીક સમય આકાશવાણી અને દૂરદર્શન દ્વારા લોકો સુધી પહોંચડાવામાં આવી રહેલ છે.
દિનેશ કુમારે આગળ જણાવ્યું કે, સરકારની યોજના પૂરા દેશમાં માત્ર એક જ સમયનાં ઉપયોગની છે. જે ભારતનો ચોક્કસ સમય હશે. આનાં અનિવાર્ય ઉપયોગ માટે સરકાર જલ્દી જ સંસદમાં કાયદો પસાર કરશે. આ મામલામાં ઉપભોક્તા મામલાનાં મંત્રાલયનાં અધિકારીઓ સાથે તેમની ચર્ચા ચાલી રહી છે. ઇસરોએ તો પોતાનાં પ્રક્ષેપણોમાં આનો ઉપયોગ પણ શરૂ કરી દીધો છે.
ડિજિટલ લેણદેણમાં સાઇબર સુરક્ષા માટે ચોક્કસ સમયની જાણકારી જરૂરી છે. અનેક વિકસિત દેશોમાં તેનો સ્થાનીય સમય જ એકમાત્ર વૈધાનિક સમય હોય છે. જર્મનીમાં જર્મન સમય એ વૈધાનિક સમય છે. ત્યાનાં લોકો અન્ય કોઇ સમયનો ઉપયોગ નથી કરી શકતા. ત્યારે ભારતમાં હાલમાં ઓફિશીયલ સમય તો છે પરંતુ તેને હાલમાં વૈધાનિક દરજ્જો આપવામાં નથી આવ્યો. આ કારણોસર આપણે કોઇ પણ સમયનો ઉપયોગ કરવા માટે સ્વતંત્ર છીએ.