આયુર્વેદ અનુસાર સર્પગંધાનો છોડ ખૂબ જ કિંમત ઔષધિ છે. પુરાતન સમયથી આ છોડ લોકોની સ્કીન અને સ્વાસ્થ્યથી જોડાયેલી સમસ્યાઓ ઠીક કરે છે. જો કે વિજ્ઞાનમાં આ છોડને લઇને હજુ સુધી કોઇ રિસર્ચ કરવામાં આવ્યું નથી. પરંતુ આયુર્વેદમાં એને ખૂબ જ મદદરૂપ દવા માનવામાં આવે છે. ચલો તો જણાવીએ સર્પગંધાનો છોડ પુરાતન સમયથી લઇને અત્યાર સુધી કેવી રીતે ફાયદાકારક છે.
પેટનો દુખાવો થતો હોય તો આ પાણીનુ સેવન દરેક 3-4 કલાકમાં કરો
યેરિયા અને કોલીરા જેવી સમસ્યાઓમાં પણ લાભકારી છે
હાર્ટ બ્લોકેજ દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ છે
પેટ દુખાવામાં લાભકારી
સર્પગંધાનો છોડ પેટનો દુખાવો, ડાયેરિયા અને કોલીરા જેવી સમસ્યાઓમાં પણ લાભકારી છે. પણ જરૂરી છે તેનો યોગ્ય રીતે ઉપયોગ.
હાઈ બ્લડ પ્રેશર
આજે એક ખૂબ મોટી સમસ્યા બનતી જઈ રહી છે. જો સમય રહેતા તેનો ઈલાજ ન કરાવ્યો તો તે આગળ જઈને હાર્ટ ફેલ, હાર્ટ સ્ટ્રોક અને બ્રેન ક્લૉટનુ કારણ બની જાય છે.
સર્પગંધા નસોમાં જામેલા લોહીને ઓગાળવાનુ કામ કરે છે. જો તમને ડોક્ટર થોડી ઘણી નસોના બ્લોકેજ થવાની ફરિયાદ બતાવે તો આ છોડની મદદથી તમે ઈલાજ કરાવી શકો છો.
આ સમસ્યાથી બચવા સર્પગંધાનુ સેવન કેવી રીતે કરવું
સર્પગંધાની જડને સ્વચ્છ પાણીથી સાફ કરો અને નાન નાના ટુકડામાં કાપી લો.
હવે એક વાસણમાં 1 લીટર પાણીમાં આ કાપેલી જડને નાખી દો.
પાણી ઉકળતી વખતે તેમાં 1 ચમચી સંચળ અને 1 ટીસ્પૂન ખાંડ નાખી દો
જ્યારે પાણી અડધુ રહી જાય તો તેને ઠડુ થયા પછી ગાળીને એક વાસણમાં કાઢી લો.
પેટનો દુખાવો ડાયેરિયા કે પછી કોઈ સામાન્ય સમસ્યાને કારણે થઈ રહેલ પેટનો દુખાવામાં આનુ સેવન કરો
તમે આ પાણીમાં થોડા લીંબુના ટીપા અને એક ટીસ્પૂન મધ પણ નાખી શકો છો.
પેટનો દુખાવો થતો હોય તો આ પાણીનુ સેવન દરેક 3-4 કલાકમાં કરો.
કુદરતી રીતે પેટના દુખાવામાં રાહત મેળવવાનો આ સરળ અને સહેલો ઉપાય છે.
જો તમે ઉંઘ ન આવવાની સમસ્યથી પરેશાન છો તો બજારમાં મળનારા સર્પગંધા પાવડરની 1 ટીસ્પૂન રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ કુણા પાણી સાથે લો. તેનાથી તમને ઉઘ સારી આવશે અને સાથે જ તમારો મેંટલ સ્ટ્રેસ પણ દૂર થઈ જશે.