દીવઃ ૨૬/૧૧ના તાજ આતંકી હમલાને આજે પણ દુનિયા યાદ કરે છે તો લોકોમાં ખોફ ઉદભવે છે. આ હમલામાં શહીદ થયેલ દીવના કુબેર બોટના ટંડેલ અમરચંદનુ મરણપ્રમાણપત્ર ૧૦ વર્ષ પછી પણ મળ્યું નથી.
એમના પરીવારની વ્યથા....
૨૦૦૮માં થયેલ મુંબઈમાં સૌથી મોટો આતંકવાદી હુમલો ખૂબ લોકચર્ચીત બન્યો હતો. આ હમલામાં અનેક બહાદુર સૈનિકો તથા માછીમારોની આતંકવાદીએ બેરહમીથી હત્યા કરી હતી. જેમાં દીવના ઝોલાવાડી ગામના રહેવાસી અને બોટના ટંડેલ અમરચંદ પણ શહીદ બન્યા હતા. અમરચંદ પોરબંદરની કુબેર બોટમાં ટંડેલ તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે આતંકવાદીઓએ આ કુબેર બોટને નિશાન પર લઈ મુંબઈ તાજ સુધી પહોચ્યા હતા.
ચાકુની નોક પર મુંબઈ તાજ સુધી...
કુબેર બોટમાં રહેલા માછીમારોને એક પછી એકને મોતના ધાટ ઉતાર્યા હતા. જ્યારે કુબેર બોટના ટંડેલ અમરચંદને હોટલ તાજ સુધી પહોંચવા માટે જીવતો રાખવામાં આવેલ તેને ચાકુની નોક પર મુંબઈ તાજ સુધી લઈ જવામાં આવ્યા હતા. મુંબઈ પહોંચ્યા પછી તરત જ અમરચંદનું ગળું કાપી હત્યા કરી હતી. ત્યારબાદ હોટલ તાજ પર હુમલો કર્યો હતો. તાજ પર આતંકી હમલાને સતત ટીવી પર પ્રસારિત કરવામાં આવેલ. અમરચંદના પરીવારના સભ્યોને ટીવી દ્વારા ખબર પડી હતી કે કુબેર બોટ પર હમલા બાદ બોટમાં રહેલ લોકોની હત્યા કરવામાં આવી છે.
આજે ૧૦ વર્ષ થયા પછી પણ મુંબઈ સરકાર દ્વારા અમરચંદનું મરણ પ્રમાણપત્ર આપવામાં આવ્યું નથી
ત્યારે બે ત્રણ દિવસ પછી અમરચંદની હત્યાની જાણ થઈ હતી. ત્યારે ગામના આગેવાનોની મદદથી તેમના પુત્રને મુંબઈથી અમરચંદની લાશ સોંપવામાં આવી હતી. ઘણા દિવસો પછી અમરચંદની લાશ દીવ પહોચેલ ત્યારે ઝોલાવાડીમાં હ્રદય કાંપી ઊઠે તેવું વાતાવરણ સર્જાયું હતું. આ ઘટના ૨૦૦૮માં બનેલી હતી. આજે ૧૦ વર્ષ થયા પછી પણ મુંબઈ સરકાર દ્વારા અમરચંદનું મરણ પ્રમાણપત્ર આપવામાં આવ્યું નથી. અમરચંદનો પરીવાર આજે પણ ૨૬/૧૧ને યાદ કરે છે. તો અમરચંદની હત્યાની ઘટનાની યાદ તાજી થઈ જાય છે. પરીવારના મુખ્ય આધારના જવાથી તેના પર વિતેલા ક્ષણો પણ યાદ કરી આજે પણ આંખમાં આંસુ જોવા મળે છે.