પાકિસ્તાની નૌસેનાએ ગુરૂવારે કહ્યું કે, તેણે અરબ સાગરમાં એક જહાજ પલ્ટી મારી જતાં તેના ચાલક દળના નવ ભારતીય સભ્યોને ડૂબતા બચાવ્યા છે.
અરબ સાગરમાં ડૂબ્યું ભારતીય કોમર્શિયલ જહાજ
ચાલક દળના નવ સભ્યોને પાકિસ્તાની નૌસેનાએ બચાવ્યા
એક સભ્યને બચાવી શકાયો નહીં
પાકિસ્તાની નૌસેનાએ ગુરૂવારે કહ્યું કે, તેણે અરબ સાગરમાં એક જહાજ પલ્ટી મારી જતાં તેના ચાલક દળના નવ ભારતીય સભ્યોને ડૂબતા બચાવ્યા છે. પાકિસ્તાન નોસૌનાના જનસંપર્ક ડિરેક્ટરે એક નિવેદનમાં કહ્યું કે, આ ઘટના નવ ઓગસ્ટના રોજ બલૂચિસ્તાન પ્રાંતના તટિય શહેર ગ્વાદર પાસે તે સમયે થઈ હતી, જ્યારે ભારતીય જહાજ જમના સાગર ડૂબી ગયું. તેમાં ચાલક દળના 10 સભ્યો હતા.
પાકિસ્તાન નૌસેનાએ ભારતીયોની કરી મદદ
નિવેદન અનુસાર, નૌસેનાના જહાજ વિશે જાણકારી મળી, જે બાદ પાકિસ્તાન સમુદ્રી સૂચના કેન્દ્રએ નજીકના વાણિજ્ય જહાજ 'એમટી ક્રુઈબેકે' ભારતીય જહાજના ચાલકની જરૂરી મદદ કરવાનો અનુરોધ કર્યો, નિવેદનમાં કહેવાયુ કે, કોમર્શિયલ જહાજ અંતત: ચાલક દળના નવ સભ્યોને બચાવી લીધા.
તેમાં કહેવાયુ છે કે, પાકિસ્તાન નૌસેનાના જહાજ બાદ ચાલક દળના એક ગુમ સભ્યની લાશ મળી છએ. જેને પાકિસ્તાની સમુદ્રી સુરક્ષા એજન્સીને સોંપી દેવામાં આવ્યો છે.
આ બાજૂ શ્રીલંકાએ ચીન નિર્મિત પાકિસ્તાનના જહાજ પીએનએસ તૈમૂરને કોલંબોમાં રોકાવાની મંજૂરી આપી હતી. શ્રીલંકાએ પાકિસ્તાનના જહાજને આ મંજૂરી બાંગ્લાદેશ સરકાર દ્વારા ચટગાંવ પોર્ટ પર રોકવાની મંજૂરી આપવાની ના પાડ્યા બાદ આપી હતી. આ જહાજ 15 ઓગસ્ટના રોજ પાકિસ્તાન નૌસેનામાં સામેલ થવા જઈ રહ્યું છે. શઁઘાઈથી કરાચીની મુસાફરી દરમિયાન જહાજને 7થી 10 ઓગસ્ટ સુધી ચટગાંવ પોર્ટ બહાર લંગર નાખવાનુ હતું. બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારે પીએનએસ તૈમૂરને રોકાવાની મંજૂરી આપવાની ના પાડી દીધી હતી, કારણ કે ઓગસ્ટના મહિનામાં પ્રધાનમંત્રી શેખ હસીના માટે શોકનો મહિનો છે. તેમના પિતા શેખ મુઝીબ ઉર રહમાનની 15 ઓગસ્ટ 1975ના રોજ હત્યા કરી દેવામાં આવી હતી.