કેન્સરના ઇલાજમાં ભારતીય વિજ્ઞાનીને મોટી સફળતા મળી છે. તેમાં ડેમેજ થઇ ચૂકેલા ડીએનએને સરળતાથી ઠીક કરી શકાશે. આ માટે એવું પ્રોટીન શોધાયું છે જે ડેમેજ થઇ ચૂકેલા ડીએનએને નષ્ટ થતા બચાવશે. હાલમાં આ પ્રોટીનની ઓળખ એલ્ક-ડી હોમોલોગ-૩ના રૂપમાં કરાઇ છે.
કેન્સર ઇલાજ બનશે સરળ
આઇઆઇટી હૈદરાબાદ અને આઇઆઇટી ગૌહાટીમાં થયું સંશોધન
કેન્સરના દર્દીઓને મળશે રાહત
કેન્સરના ઇલાજ
ભારતીય વિજ્ઞાનીને આ સફળતા સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રાલય તરફથી કેન્સરના ઇલાજને લઇને શરૂ કરાયેલા અભ્યાસ દરમિયાન મળી હતી.
હાલમાં તેની સાથે જોડાયેલું સંશોધન દેશની અલગ અલગ સંસ્થાઓમાં ચાલી રહ્યું છે. તેમાં ડીએનએ સાથે જોડાયેલાં સંશોધનની જવાબદારી આઇઆઇટી હૈદરાબાદને સોંપવામાં આવી હતી. બાદમાં તેમાં આઇઆઇટી ગૌહાટીને પણ સામેલ કરાયું હતું.
કેન્સરના સીધો ઇલાજ
આ બંનેના સંયુકત પ્રયાસથી છેલ્લા પાંચ વર્ષમાં જે મોટી સફળતા હાથ લાગી છે તે હેઠળ માનવ શરીરમાં રહેલા એક એવા તત્વને શોધી કઢાયું છે જે પ્રાકૃતિક રીતે નષ્ટ થતા ડીએનએને બચાવે છે. બાદમાં તે કોશિકાઓ પણ ઝડપથી નષ્ટ કરવા લાગે છે. ખાસ વાત એ છે કે કેન્સર જેવી બીમારીઓમાં દવાઓ યોગ્ય રીતે કામ કરતી નથી અને બીમારી વધવા લાગે છે. આવા સંજોગોમાં હવે ડીએનએને ડેમેજ થતા બચાવીને સીધો ઇલાજ થઇ શકશે.