ભારતમાં સહિત સમગ્ર દેશમાં અત્યારે કોરોના વાયરસનો કહેર છે. ત્યારે દરેક દેશ કોરોના સામે લડવા દવાની શોધમાં લાગ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 902 લોકો કોરોના ગ્રસ્ત છીએ. ત્યારે આ ચિંતાની વચ્ચે ભારતીય વૈજ્ઞાનિકોને મોટી સફળતા મળી છે.
ભારતના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસની કરી ઓળખ
વૈજ્ઞાનિકોએ વાયરસની તસવીર કરી જાહેર
માઇક્રોસ્કોપી મારફતે કોરોનાનું સ્વરૂપ જાણવા મળ્યું છે
વાયરસની ઓળખ ભારતના પહેલા કેસના નમૂનામાંથી મળી
ભારતીય વૈજ્ઞાનિકોને પહેલી સફળતા મળી
માઈક્રોસ્કોપીના માધ્યમથી વૈજ્ઞાનિકોને કોરોનાની ઓળખ કરી છે. વૈજ્ઞાનિકોએ વાયરસની તસવીર પણ જાહેર કરી છે. જેમાં વાયરસ નાના બિંદુથી પણ ઘણા નાના સ્વરુપે જોવા મળ્યા છે. કોરોના વાયરસને લઇને ભારતીય વૈજ્ઞાનિકોને પહેલી સફળતા મળી છે.
ભારતમાં 30 જાન્યુઆરીએ કેરળમાં જોવા મળ્યો હતો પહેલો કેસ
માઇક્રોસ્કોપી મારફતે કોરોનાનું સ્વરૂપ જાણવા મળ્યું છે. ભારતના પહેલા કેસના નમૂનામાંથી વાયરસની ઓળખ મળી છે. ભારતમાં 30 જાન્યુઆરીએ કેરળમાં જોવા પહેલો કેસ મળ્યો હતો. આ દર્દીના ગળાની નળીમાંથી નમૂના લીધા હતા. એ બાદ માઈક્રોસ્કોપના માધ્યમથી તસ્વીરો લીધી હતી.
આ જીવલેણ વાયરસની સારવાર સુધી પહોંચી જઈશું
આ શોધને ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલના રિસર્ચની નવી આવૃત્તિમાં પ્રકાશિત કરવામાં આવી છે. એવુ મનાઈ રહ્યું છે કે આ જીવલેણ વાયરસની સારવાર સુધી પહોંચી જઈશું.