પશુઓ માટે પ્રાણઘાત રોગ લંપીની સ્વદેશી વેક્સિન વૈજ્ઞાનિકોએ બનાવી લીધી હોવાનું પીએમ મોદીએ જણાવ્યું છે.
નોઈડામાં વર્લ્ડ ડેરી સમિટમાં પીએમ મોદીએ કર્યું જાહેર
પશુ રોગ લંપીની સ્વદેશી વેક્સિન બનીને તૈયાર
દેશમાં લંપીએ 5000 પશુઓનો ભોગ લીધો છે
પોતાની આંખ સામે પ્રાણીઓને મરતા જોનાર ખેડૂતો અને પશુપાલકો માટે સારા સમાચાર છે. નોઈડામાં વર્લ્ડ ડેરી સમિટમાં પીએમ મોદીએ પશુ રોગ લંપીની વેક્સિનને લઈને એક આશાસ્પદ જાહેરાત કરી છે. દેશમાં લંપીએ 5000 પશુઓનો ભોગ લીધો છે અને હજુ પણ ઘણ પશુઓ આ રોગને કારણે મરી રહ્યાં છે આવી સ્થિતિમાં પીએમ મોદીની જાહેરાતને કારણે પશુપાલકોને રાહત મળી છે. વર્લ્ડ ડેરી સમિટને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી ભારતના ઘણા રાજ્યોમાં લમ્પી નામની બીમારીના કારણે પ્રાણીઓને નુકસાન થયું છે. રાજ્ય સરકારો સાથે મળીને કેન્દ્ર સરકાર તેને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે. આપણા વૈજ્ઞાનિકોએ લંપી વાયરસની સ્વદેશી રસી પણ તૈયાર કરી છે.
Speaking at inauguration of International Dairy Federation World Dairy Summit 2022 in Greater Noida. https://t.co/yGqQ2HNMU4
2025 સુધીમાં તમામ પ્રાણીઓનું રસીકરણ
પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં અમે પ્રાણીઓના સાર્વત્રિક રસીકરણનો આગ્રહ કરી રહ્યાં છે. અમે સંકલ્પ કર્યો છે કે વર્ષ 2025 સુધીમાં અમે 100 ટકા પ્રાણીઓને પગ અને મોઢાના રોગ અને બ્રુસેલોસિસ સામે રસી આપીશું. અમે આ દાયકાના અંત સુધીમાં આ રોગોથી સંપૂર્ણ મુક્તિનું લક્ષ્ય રાખ્યું છે.
ગુજરાતની બન્ની ભેંસનો કિસ્સો કહ્યો પીએમ મોદીએ
મોદીએ બન્ની ભેંસ વિશે જણાવ્યું હતું કે, ગુજરાતની બન્ની ભેંસ રાતના ઓછા તાપમાનમાં ઘાસ ચરાવવા નીકળે છે. કારણ કે ગુજરાતમાં દિવસ દરમિયાન ભયંકર તડકો હોય છે. વિદેશથી આવેલા મહેમાનોને રાત્રે ભેંસ સાથે પશુપાલક ન હોવાની વાત સાંભળીને ચોંકી ઉઠશે. આ બન્ની ભેંસ 15 કિ.મી દૂર જઈને ચરે છે અને સવાર થતા સુધીમાં ઘેર પાછી આવતી રહે છે.
પ્રાણીઓનો સૌથી મોટો ડેટાબેઝ તૈયાર કરાઈ રહ્યો છે
પીએમ મોદીએ કહ્યું કે ભારત ડેરી પ્રાણીઓનો સૌથી મોટો ડેટાબેઝ તૈયાર કરી રહ્યું છે. ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલા દરેક પ્રાણીને ટેગ કરવામાં આવી રહ્યા છે. આધુનિક ટેકનોલોજીની મદદથી અમે પ્રાણીઓની બાયોમેટ્રિક ઓળખ કરી રહ્યા છીએ. અમે તેને-એનિમલ બેઝ નામ આપ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વર્ષ 2014થી અમારી સરકારે ભારતનાં ડેરી ક્ષેત્રની પરવડે તેવી ક્ષમતા વધારવા માટે સતત કામ કર્યું છે. આજે દૂધ ઉત્પાદનથી ખેડૂતોની વધેલી આવકમાં પણ તેનું પરિણામ દેખાય છે. વર્ષ 2014માં ભારતે 14.6 કરોડ ટન દૂધનું ઉત્પાદન કર્યું હતું. હવે તે વધીને 210 મિલિયન ટન થઈ ગઈ છે. એટલે કે લગભગ 44 ટકાનો વધારો થયો છે.
ભારતના ડેરી ક્ષેત્રની અસલી કેપ્ટન મહિલાઓ
મોદીએ કહ્યું કે મહિલા શક્તિ ભારતના ડેરી ક્ષેત્રમાં ૭૦ ટકા કાર્યબળનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતના ડેરી ક્ષેત્રની અસલી કેપ્ટન મહિલાઓ છે. એટલું જ નહીં, ભારતની ડેરી સહકારી મંડળીઓના એક તૃતીયાંશથી વધુ સભ્યો મહિલાઓ છે. આ સમગ્ર પ્રક્રિયાની વચ્ચે કોઈ મધ્યમ માણસ નથી, અને ગ્રાહકો પાસેથી મળતા 70 ટકાથી વધુ નાણાં ખેડૂતોના ખિસ્સામાં જાય છે. આખા વિશ્વમાં બીજા કોઈ દેશમાં આટલું ઊંચું પ્રમાણ નથી.
લંપીએ 5000 પશુઓનો ભોગ લીધો
ઉલ્લેખનીય છે કે પશુઓમાં ફેલાયેલા લંપી વાયરસે દેશભરમાં 5000 પશુઓનો ભોગ લીધો છે. આ રોગમાં પશુઓના આખા શરીર નાની નાની ગાંઠો થાય છે અને સરવાળે તે તરફડીને મોતને ભેટે છે.