ભારતના વૈજ્ઞાનિકોએ ડેન્ગ્યૂની દવા શોધી કાઢી છે. જેને પહેલા ચરણમાં ઉંદરો પર વાપરવામાં આવશે બાદમાં આ દવા લોકો સુધી પહોચી રહેશે. આ દવાને કારણે વિશ્વના મોટા ભાગના દેશોને મોટી રાહત મળી રહેશે.
ભારતના વૈજ્ઞાનિકોને શોધી ડેન્ગ્યૂની દવા
લખનૌના વૈજ્ઞાનિકોએ શોધી ડેન્ગ્યૂની દવા
પ્રથમ ચરણમાં ઉંદરો પર ટ્રાયલ કરવામાં આવશે
ડેન્ગ્યુના ઈલાજ માટે રિસર્ચ કરી રહેલા વૈજ્ઞાનિકોના હાથમાં મોટી સફળતા લાગી છે. લખનઉના કેન્દ્રીય ઓષધિ અનુસંધાન સંસ્થાનના વૈજ્ઞાનિકો દ્વારા ડેન્ગ્યુંના ઈલાજની દવા બનાવામાં આવી છે. જેમા પ્રથમ ચરણમાં ઉંદરો પર તેનું ટ્રાયલ કરવામાં આવશે. જો આ ટ્રાયલ સફળ થયું તો માણસો પર પણ જલ્દી પરીક્ષણ કરવામાં આવશે.
CSIR તેમજ CDRIના વૈજ્ઞાનિકોએ શોધી દવા
દર વર્ષે સપ્ટેમ્બર આવતા આવતા ડેન્ગ્યુનો ખતરો વધી જતો હોય છે. શરૂઆતમાં સામાન્ય તાવ રહેતો હોય છે. પરંતુ જો યોગ્ય રીતે ઈલાજ ન થાય તો આ બિમારી જીવલેણ સાબિત થતી હોય છે. પરંતુ હવે લખનૌના કેન્દ્રીય ઓષધિ અનુસંધાન સંસ્થાનના CSIR તેમજ CDRIના વૈજ્ઞાનિકોએ ડેન્ગ્યૂના ઈલાજ માટે દવા બનાવી છે.
ડેન્ગ્યૂના દર્દીઓ માટે દવા કારગર
જોકે હાલમાં આ દવા થ્રોમબોસેસના ઈલાજ માટે પ્રયોગમાં લેવામાં આવે છે. જેમા હાલ ઉંદરો પર આ દવાનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં આ દવાનો ઉપયોગ માણસો પર પણ કરવામાં આવશે. CDIRના નિર્દેશક પ્રોફેસરનું કહેવું છે કે આ દવા ડેન્ગ્યૂના દર્દીઓ પર કારગર સાબિત થશે. સાથેજ બજારમાં પણ જલ્દી તેને ઉતારવામાં આવશે.
વિશ્વના મોટા ભાગના દેશોને મોટી રાહત મળી રહેશે
ઉલ્લેખનીય છે કે ભારતમાં ડેન્ગ્યૂથી મરાનારા લોકોની સંખ્યા ઘણા મોટા પ્રમાણમાં છે. કારણકે આ રોગનો હજુ સુધી કોઈ સચોટ ઈલાજ શોધાયો નથી. માત્ર લક્ષણોને ધ્યાનમાં રાખીને દર્દીનો ઈલાજ કરવામાં આવતકો હોય છે. જેથી ભારતના વૈજ્ઞાનિકો દ્વારા જે દવા શોધવામાં આવી છે. તેને કારણે વિશ્વના બધા દેશોને મોટી રાહત મળી શકે છે.