કોરોનાની ત્રીજી લહેરની વચ્ચે ભારતીય વૈજ્ઞાનિકોએ એક મોટી જાહેરાત કરીને દુનિયાની વાહવાહી મેળવી છે.
કોરોનાની ત્રીજી લહેરની વચ્ચે સારા સમાચાર
ભારતીય વૈજ્ઞાનિકોનો મોટો દાવો
તમામ વેરિયન્ટની સામે કારગર વેક્સિન બનાવી હોવાનો દાવો
કોરોના કાળમાં ભારતીય વૈજ્ઞાનિકોએ એક મહાન કામ સિદ્ધ કરી દેખાડ્યું છે. ભારતીય વૈજ્ઞાનિકોએ એક એવી વેક્સિન તૈયાર કરી હોવાનો દાવો કર્યો છે કે જે કોરોનાના તમામ વેરિયન્ટની સામે કારગર નીવડી શકે છે.
બંગાળ અને ઓડિશાના વૈજ્ઞાનિકોએ બનાવી સુપર વેક્સિન
બંગાળના આસનસોલની કાજી નઝરુલ યુનિવર્સિટી અને ભુવનેશ્વરના ભારતીય વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થાનના વૈજ્ઞાનિકોએ એક પેપ્ટાઈડ વેક્સિન તૈયાર કરી છે. પેપ્ટાઈડ વેક્સિન કોરોનાના તમામ વેરિયન્ટની સામે બીમારીથી રક્ષણ કરી શકે છે.
મલ્ટી એપિટોપ મલ્ટી ટાર્ગેટ કાઈમેરિક પેપ્ટાઈડ વેક્સિન તૈયાર કરી
બંગાળ અને ઓડિશાના વૈજ્ઞાનિકોએ કહ્યું કે અમે એક મલ્ટી એપિટોપ મલ્ટી ટાર્ગેટ કાઈમેરિક પેપ્ટાઈડ જે કોરોના તમામ વેરિયન્ટ (hCoV-229E, hCoV-HKU1, hCoV-OC43, SARS-CoV, MERS-CoV)ની સામે એન્ટીબોડી તૈયાર કરવામાં સક્ષમ હશે.
નવી વેક્સિન વધારે સ્થિર, એન્ટીજેનિક અને ઈમ્યુનોજેનિક-વૈજ્ઞાનિકો
કાજી નઝરુલ યુનિવર્સિટી અને ભુવનેશ્વરના ભારતીય વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થાનના વૈજ્ઞાનિક ચૌધરી અને સુપ્રભાત મુખરજી અને પાર્થ સારથી સેન ગુપ્તા, સરોજ કુમાર પાંડા, મલય કુમાર રાણાએ કહ્યું કે બનાવાયેલી વેક્સિન વધારે સ્થિર, એન્ટીજેનિક અને ઈમ્યુનોજેનિક જોવા મળી છે. વૈજ્ઞાનિકોએ કમ્પ્યુટેશનલ મેથડ દ્વારા આ વેક્સિન બનાવી છે અને હવે પછીના તબક્કામા વેક્સિનનું પ્રોડેક્શન થશે અને તે પછી તેની ટ્રાયલ શરુ થશે.
હાલમાં વર્લ્ડમાં તમામ વેરિયન્ટની સામે કામ આપી શકે તેવી એક પણ વેક્સિન નથી
વૈજ્ઞાનિક ચૌધરીએ કહ્યું કે આ વેક્સિન પોતાની રીતે અનોખી છે. હાલમાં દુનિયામાં કોરોનાના તમામ વેરિયન્ટની સામે કામ આપી શકે તેવી એક પણ વેક્સિન ઉપલબ્ધ નથી તેથી આ વેક્સિન દુનિયા માટે મોટી રાહતના સમાચાર છે.